- ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
- NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
- જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
- Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
- Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
- Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
- Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
- Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
Author: Vikram Raval
ખેડા, જૂનાગઢ અને ગીર સોમનાથના તહસીલ સંગઠનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા પદ મુસ્લિમ નેતાઓને અપાયા Gandhinagar તા.૭ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપે વિધાનસભા અને લોકસભા માટે કોઈ મુસ્લિમ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા ન હતા. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા ૮૨ સુધી પહોંચ્યા બાદ, પાર્ટીએ તેમને સંગઠનમાં સ્થાન આપવાનું શરૂ કર્યું છે. ખેડા, જૂનાગઢ અને ગીર સોમનાથના તહસીલ સંગઠનમાં પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા પદ મુસ્લિમ નેતાઓને આપવામાં આવ્યા છે. રાજ્યમાં લાંબા સમય સુધી ભાજપ અને મુસ્લિમ મતદારો વચ્ચેનો આંકડો ૩૬ હતો, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપે નગર પાલિકા, જિલ્લા પંચાયત, તહેસીલ પંચાયતની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં તેના…
સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં ઘઉંની આવક થઈ છે, તેમજ ઘઉંના ભાવમાં ૨૫ રૂપિયાનો ઘટાડો થયો હતો Amreli, તા.૭ ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની શરૂઆત થઈ ગઈ છે અને હાલ ઘઉંના ભાવમાં રૂપિયા ૨૫ સુધીનો ઘટાડો ૨૦ કિલોએ થયો છે. ઘઉંની આવકમાં સતત વધારો થયો છે. ઘઉંની સિઝન શરૂ થતાં ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ થાય છે. રાજકોટ યાર્ડમાં ૫૦૦૦ ગુણીની ઘઉંની આવક નોંધાઈ છે. રાજકોટ યાર્ડમાં મિલબરના ભાવમાં ૪૯૫ થી ૫૦૫ રૂપિયા સુધી બોલાયા હતા. એવરેજ ભાવ ૫૧૦ થી ૫૪૦ રૂપિયા બોલાયો હતો. સારી ક્વોલિટીમાં ૫૫૦ થી ૫૮૦ રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં સતત આવકમાં વધારો થયો છે.…
Gandhinagar, તા.૭ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે ઝ્રમ્જીઈએ વર્ષ ૨૦૨૬થી બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. ખરેખર, હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાની તક મળશે, અને સારી વાત એ છે કે વધુ સારા માર્કસ મેળવનારને અંતિમ સ્કોરમાં ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓને વધારાની તક આપશે, જેથી તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકે અને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફેરફાર માત્ર ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો છે. પહેલાની જેમ ધોરણ ૧૨ની પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે. હવે તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો…
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક શખ્સ દરિયા કિનારે ઉભો રહેલો જોવા મળ્યો હતો Porbandar, તા.૭ ગુજરાતમાં દારૂબંધી છે. પરંતું અહી કહેવાતી દારૂબંધી છે એવું બધા જાણે છે. છાશવારે પકડાતી પાર્ટી, દારૂની મહેફિલો, દારૂના જથ્થા તેના પુરાવા આપે છે. ત્યારે આ વચ્ચે મહાત્મા ગાંધીની ભૂમિ પરથી વાયરલ થયેલો એક વીડિયો ચર્ચા જગાવી રહ્યો છે. પોરબંદર ગાંધી જન્મભૂમિમાં હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ એ ભારે તહેલકો મચાવી દીધો હતો. ત્યારે પોરબંદર પોલીસે વાયરલ વીડિયો પર મોટી કાર્યવાહી કરી છે. વીડિયો બનાવનાર પોરબંદરના વકિલ જગદીશ મોતીવરસે જાહેરમાં માફી માંગી છે. થોડા દિવસ અગાઉ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો…
એક પોસ્ટમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની કલા અને તેના ડેડિકેશનની ખૂબ જ પ્રશંસા કરી હતી Mumbai, તા.૭ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરવાની એક પણ તક છોડતા નથી. બિગ બી અવારનવાર અભિષેક બચ્ચનની એક્ટિંગના વખાણ કરે છે. અભિનેતા અભિષેકએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ દિવસોમાં અભિષેક તેની આગામી ફિલ્મ બી હેપ્પીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતા એક એવા પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે જે તેની પુત્રીનું સ્વપ્ન પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. બી હેપ્પી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ આવ્યું છે. બોલિવૂડના શહેનશાહે પણ આ ફિલ્મના ટ્રેલરની પ્રશંસા કરી…
વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર રોબિન હૂડમાં એક નાનકડો રોલ કર્યો છે Mumbai તા.૭ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે ભલે આ ટૂર્નામેન્ટમાં જોવા ન મળે, પરંતુ તે પોતાને ભારતથી દૂર રાખી શક્યો નથી. વોર્નર ભારતીય સિનેમાનો મોટો ફેન્સ છે અને તે ટૂંક સમયમાં અહીં ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વોર્નર સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો મોટો ફેન છે. બુટ્ટા બોમ્મા ગીત પર આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજના ડાન્સને કોઈ ભૂલી શક્યું નથી. વોર્નર બાહુબલી અને ઇઇઇ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે એક જાહેરાતમાં પણ જોવા મળ્યો હતો. વોર્નરે…
સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વાર લાગી, સુહાનાના રોલમાં કોઈ કચાશ માટે અભિનેતા શાહરુખખાન તૈયાર નહિ Mumbai, તા.૭ શાહરૂખ ખાન પોતાની પુત્રી સુહાના માટે કિંગ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. તેના રેડ ચિલિઝ બેનર હેઠળ આ ફિલ્મના નિર્માણની તૈયારી થઇ રહી છે. શાહરૂખ પણ પુત્રી સુહાનાને સપોર્ટ કરવા આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થવાનું હતુ ંજે હવે લંબાઇ ગયું છે અને જૂન મહિનામાં શરૂ કરવામા ંઆવશે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપી રહ્યો હોવાથી ફિલ્મનું શૂટિંગ લંબાઇ ગયું છે. શાહરુખ આ ફિલ્મમાં સુહાનાનો રોલ લખવામાં કોઈ…
આ અશ્લીલ ગીતોથી શાળાએ જતી છોકરીઓની સતામણી થતી હોવાની દલીલ નીતુ ચન્દ્રા દ્વારા કરાઈ Mumbai, તા.૭ અભિનેત્રી નીતૂ ચંદ્રાએ પટના હાઇકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરીને અશ્લીલ ભોજપુરી અને હિંદી ગીતો પર પ્રતિબંધની માગણી કરી છે. તેની દલીલ મુજબ આ ગીતો દ્વારા શાળાએ જતી છોકરીઓની સતામણી થાય છે. તેણો યો યો હની સિંઘ પર કેસ માંડયો છે. નીતુ ચંદ્રાએ યો યો હની સિંઘના નવા ગીત મૈનિએક પર રોક લગાડવાની માંગણી કરી છે. તેણે યાચિકામાં જણાવ્યું છે કે, આ ગીતમાં ઘણી અશ્લીલતા છે મહિલાઓનો તેમનો કોઇ પ્રોડકટની માફક ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં મહિલાઓને સેક્સ સિમ્બોલના રૂપમાં દેખાડવામાં આવી…
Jamnagar તા ૭ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલી સોલાર પલ્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સાઈડ એરિયામાં ગત તારીખ ૬.૨.૨૦૨૫ થી તારીખ ૪.૩.૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો એ અંદર પ્રવેશ કરી લીધો હતો, અને અંદાજે ૭,૦૦૦ મીટર જેટલો ડી.સી. એલ્યુમિનિયમ વાયર કાપીને ચોરી કરી લઈ ગયા હતા. ઉપરોક્ત ચોરીના બનાવ અંગે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જાવેદ હસનભાઈ પઠાણ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રૂપિયા બે લાખ ૮૦ હજારની કિંમતના આશરે ૭,૦૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ બનાવના સ્થળે દોડતી થઈ છે,…
Jamnagar તા.07 જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા ઢોસા હાઉસ ને મહાનગર પાલિકાના તંત્ર ની મંજૂરી વગર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે અંગે ની માહિતી મળતાજ આજે મહાનગરપાલિકા દ્વારા તેને ફરી થી બંધ કરાવવા આવ્યું હતું, અને સીલ લગાવી દેવાયું હતું. જામનગર શહેરમાં રણજીતસાગર માર્ગે સુભાષ પાર્ક પાસે ઢોસા હાઉસ નામના રેસ્ટોરન્ટ ને રાજકોટ ના અગ્નિ કાંડ સમય માં જરૂરી સુવિધા અને મંજૂરી ન અભાવે સીલ કરવામાં આવ્યું હતું. જે રેસ્ટોરન્ટની બાંધકામની પણ મંજૂરી નથી, તેમ જ ફાયર નું એનઓસી મેળવાયું ન હોવાના કારણે સીલ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી …
