- 19 જુલાઈનું પંચાંગ
- ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
- વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
- ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
- Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
- Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
- Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
- જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
Author: Vikram Raval
Bihar,તા.૮ બિહારમાં કોંગ્રેસ દ્વારા ૧૫ જુલાઈએ યોજાનાર “છત્રોં કી ગૂંજ” કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય એકમ આ કાર્યક્રમની યોગ્ય તૈયારી કરવામાં નિષ્ફળ ગયું, જેના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. દરમિયાન, પાર્ટીનો દાવો છે કે બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં આગામી ચૂંટણીઓને કારણે આદર્શ આચારસંહિતા અમલમાં છે, જેના કારણે આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટણા કાર્યક્રમ રદ થયા પછી, કોંગ્રેસ પાર્ટીએ તેની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આ કાર્યક્રમ હવે પટણાને બદલે દહેરાદૂનમાં યોજાશે. આ કાર્યક્રમની સંભવિત તારીખ ૧૭ જુલાઈ છે. અન્ય સમાચારમાં, કોંગ્રેસ પાર્ટીએ આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડમાં યોજાનારી…
Mumbai,તા.૮ મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં નવ લોકોનાં મોત થયા છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂરને કારણે અંધેરી સબવે બંધ થઈ ગયો છે.મુંબઈમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અમલમાં છે. મહારાષ્ટ્રના પાલઘરમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. નાસિકમાં આજે પણ વાદળ ફાટવાની ચેતવણી અમલમાં છે. પુણે, સતારા અને સોલાપુરમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈવાસીઓને ૧૨ કલાકની રાહત આપ્યા પછી, વરસાદ ફરી એકવાર તીવ્ર…
New Delhi,તા.૮ દિલ્હી અને પંજાબમાંથી પકડાયેલા છ શંકાસ્પદોની પૂછપરછમાં મહત્વપૂર્ણ માહિતી મળી છે. સિવિલ લાઇન્સમાં ન્યૂ પોલીસ લાઇન, દિલ્હીનું આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન આતંકવાદીઓના નિશાના પર હતા. પેટ્રોલ બોમ્બથી દિલ્હી પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. શંકાસ્પદો પાકિસ્તાનમાં રહેતા આઇએસઆઇ હેન્ડલર શહજાદ ભટ્ટીના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. શંકાઓના ફોનમાંથી ભરતીના વીડિયો મળી આવ્યા હતા. શંકાસ્પદોના ફોનમાંથી સિવિલ લાઇન્સમાં ન્યૂ પોલીસ લાઇન્સ, આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન અને ભીડભાડવાળા બજારના વીડિયો મળી આવ્યા હતા. આ વીડિયો પ્રતિબંધિત એપ્સ દ્વારા શહઝાદ ભટ્ટીને મોકલવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલે શહઝાદ ભટ્ટી અને આરોપીઓ વચ્ચે સોશિયલ મીડિયા…
રામ મંદિર ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગયો છે, ચંપત રાય અને ગોવિંદ દેવ ગિરી તીર્થ ક્ષેત્ર ભવનમાં લગભગ બે કલાક સુધી મળ્યા. Ayodhya,તા.૮ ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના દાનની ચોરી અંગે હોબાળો ચાલુ છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, રામ મંદિરના નામે નકલી રસીદો આપવાનો પણ એક કિસ્સો સામે આવ્યો છે. માહિતી બહાર આવી છે કે આરોપીઓએ દાતાઓ પાસેથી પૈસા પડાવવા માટે નકલી રસીદોનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીના કહેવા પર રામ મંદિરના નામે બનાવેલી એક જૂની, નકલી દાન રસીદ બુક પણ મળી આવી હતી. સૂત્રો સૂચવે…
Gandhinagarતા.8 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’નું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક સ્થળને હવે વૈશ્વિક ફલક પર ઝગમગતું બનાવવા માટે ગુજરાત સરકાર તથા તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનિંગ પર કાર્ય ચાલી રહ્યં છે. સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક-એક કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર સૂત્રમાં…
Gondal, તા.8 વ્યાજંકવાદ અંગે પોલીસ તંત્ર વ્યાજખોરો સામે આકરુ વલણ દાખવી રહ્યુ છે.લોકદરબાર નાં આયોજન દ્વારા જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે.તેમ છતા વ્યાજંકવાદ ઘટવાનું નામ નથી લેતો. ગોંડલ માં પઠાણી ઉઘરાણી સાથેનાં વ્યાજખોરી નો વધુ એક કિસ્સો સામે આવ્યો છ ગોંડલના કારખાનેદારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાયોકોલના કારખાનામાં નુકસાની આવતા યુવાને કણકોટના વિશાલ સોંદરવા પાસેથી રૂ.7 લાખ તોતિંગ 30% ના વ્યાજે લીધેલ હતા. જેની સામે યુવાને પત્નીના દાગીના ગીરવે મૂકી ત્રણ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 12 લાખની ઉઘરાણી કરી મોતનો ભય બતાવતા યુવાને વખ ઘોળ્યું હતું. સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે…
Jamnagarતા.8 દેશી દારૂના ઘર સમાન જામનગર શહેરના વુલનમિલ ફાટક પાસે આવેલ બાવરીવાસ વિસ્તારમાં પોલીસે વધુ એક વખત દેશી દારૂ મામલે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ મહિલાના રહેણાક સ્થળેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. વુલનમિલ ફાટક, બાવરીવાસ વિસ્તારમાં રહેતા ધનુબેન કાનાભાઈ કોળીના રહેણાંક ઝુડામાં પોલીસે રેડ પાડી 10 લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો 90 લિટર આથો તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો સહીત 4400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત તે જ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન ચંદાભાઈ પરમારના ઝૂપડાનથી 15 લીટર દેશી દારૂ 90 લિટર દેશી દારૂનો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો મળી 5400 રૂપિયાનો મુદ્દામાલ કબજે…
Rajkot, તા. 8 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાતની વિવિધ પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે. પસંદગી પામનારાઓમાં ડો. હિમાંશુ દધીચ, યુવરાજસિંહ ડોડિયા અને યુવરાજ ચંદુનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી. પૂર્ણ કરી છે, જ્યારે યુવરાજસિંહ ડોડિયા હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી. અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે. યુવરાજ ચંદુએ પણ ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે. ડો. હિમાંશુ દધીચે ડો. પિયુષ…
Islamabad તા.8 શારજાહથી (Sharjah) પાકિસ્તાનના કરાચી આવી રહેલું એક માલવાહક વિમાન અરબ સાગરમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ ગયા બાદ આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલસાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં ચાલક દળના 5 સભ્યો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો મુજબ આ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દરિયામાં મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે પાકિસ્તાની સમય મુજબ 9ઃ18 વાગ્યે વિમાને કરાચી તરફ આગળ વધતી વખતે નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી હતી. સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો…
Surat, તા.8 ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની હાલત યથાવત રહી હોય તેમ જુદા-જુદા તાલુકાઓમાં 18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ હતો. આજે સવારે પણ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી દોર જારી રહ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ પાણી વરસ્યું હતું. કામરેજમાં 17.4 ઇંચ વરસાદ હતો. સુરત શહેરમાં 14.09 ઇંચ ખાબક્યો હતો. નવસારીમાં 15.28 ઇંચ, વલસાડના કપરાડામાં 12.68 ઇંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ હતો. તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ હતો. ડાયમંડ સીટી તરીકે ઓળખ ધરાવતું સુરત ફલડ સીટી બની ગયાનું ચિત્ર…
