- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
Rajkot, તા. 8 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાતની વિવિધ પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે. પસંદગી પામનારાઓમાં ડો. હિમાંશુ દધીચ, યુવરાજસિંહ ડોડિયા અને યુવરાજ ચંદુનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી. પૂર્ણ કરી છે, જ્યારે યુવરાજસિંહ ડોડિયા હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી. અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે. યુવરાજ ચંદુએ પણ ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે. ડો. હિમાંશુ દધીચે ડો. પિયુષ…
Islamabad તા.8 શારજાહથી (Sharjah) પાકિસ્તાનના કરાચી આવી રહેલું એક માલવાહક વિમાન અરબ સાગરમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ ગયા બાદ આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલસાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં ચાલક દળના 5 સભ્યો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો મુજબ આ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દરિયામાં મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે પાકિસ્તાની સમય મુજબ 9ઃ18 વાગ્યે વિમાને કરાચી તરફ આગળ વધતી વખતે નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી હતી. સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો…
Surat, તા.8 ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની હાલત યથાવત રહી હોય તેમ જુદા-જુદા તાલુકાઓમાં 18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ હતો. આજે સવારે પણ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી દોર જારી રહ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ પાણી વરસ્યું હતું. કામરેજમાં 17.4 ઇંચ વરસાદ હતો. સુરત શહેરમાં 14.09 ઇંચ ખાબક્યો હતો. નવસારીમાં 15.28 ઇંચ, વલસાડના કપરાડામાં 12.68 ઇંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ હતો. તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ હતો. ડાયમંડ સીટી તરીકે ઓળખ ધરાવતું સુરત ફલડ સીટી બની ગયાનું ચિત્ર…
Washington, તા. 8 અમેરિકાની ફેડરલ કોર્ટે જેલમાં બંધ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેનાં મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ સામે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો અને કાવતં ઘડવાનો સત્તાવાર ગુનાહિત આરોપ મૂક્યો છે. અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ચલાવવામાં આવેલાં `ઓપરેશન હાર્ડ બોલ’ નામનાં એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશન બાદ આ સનસનાટીપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત સાથે જોડાયેલા આ સંગઠિત ગુનાહિત જૂથોના નેટવર્કને તોડવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે. આ વ્યાપક ઓપરેશન હેઠળ અમેરિકાનાં ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓએ કેલિફોર્નિયા, જોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતનાં વિવિધ દેશોમાં…
Tehran,તા.08 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં દ્રશ્યો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારીક જહાજો પર ઈરાનના હુમલા બાદ તુર્તજ અમેરિકાએ `શિક્ષા’ના પગલા તરીકે ઈરાનના કેશમ દ્વીપ અને સિરિક પોર્ટ પર ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવતા 80 જેટલા હુમલા કર્યા હતા. તેની સાથે જ ઈરાનને તેનું ક્રુડતેલ વેચવાની સંમતિ આપી હતી તે લાયસન્સ પણ પાછુ ખેચી લેતા ફરી ક્રુડતેલમાં નવા ભડકાના સંકેત છે. ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબમાં ગલ્ફમાં અમેરિકી મથકો પર હુમલા કરતા યુદ્ધ વિરામ તુટી પડવાના સંકેત છે. બ્રીટીશ મેરીટાઈમ સિકયોરિટી એજન્સીના જણાવ્યા મુજબ હોર્મુઝમાંથી પસાર થઈ…
New Delhi,તા.08 સમગ્ર દેશમાં E20 પેટ્રોલ મુદ્દે એન્જિનમાં ખામી થશે તો, ગાડીમાં મુશ્કેલી થશે કે નહીં, લાંબા સમય સુધી આની પ્રાપ્યતા રહેશે કે નહીં એવા અનેક સવાલ ચર્ચામાં છે. આ વિષય પર કેટલાક દાવાઓ પણ થઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. નિતીન ગડકરીએ એક એવી કાર જણાવો જેમાં ફ્યૂઅલના કારણે કોઈ સમસ્યા આવી હોય? વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત તેમને કહ્યું હતું કે, કોલસો, પેટ્રોલ તથા અન્ય સામગ્રી પર નિર્ભરતા હોવી એ આર્થિક રીતે બોજા સમાન છે. આ કારણે ફ્યૂઅલની આયાત કરવી વાર્ષિક ધોરણે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાવે…
New Delhi,તા.08 ઇંગ્લેન્ડે ત્રીજી ઝ20ઈંમાં ભારતને 125 રનના મોટા માર્જિનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ ફોર્મેટમાં રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો પરાજય છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમ 11.4 ઓવરમાં 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની બેટિંગ એટલી નબળી હતી કે ટીમના ફક્ત ચાર બેટ્સમેન જ બે આંકડા સુધી પહોંચી શક્યા, પરંતુ કોઈ પણ 13 રનથી વધુ રન બનાવી શક્યું નહીં. પહેલી વાર ભારત T20 માં 100+ રનના માર્જિનથી હારી ગયું છે. આ પહેલા, આ ફોર્મેટમાં રનની દ્રષ્ટિએ ટીમનો સૌથી મોટો પરાજય ન્યુઝીલેન્ડ…
કિશન સંમુખદાસ ભવનાની ગોંડિયા વૈશ્વિક સ્તરે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ડિજિટલ ક્રાંતિ, વૈશ્વિક રોકાણ, આધુનિક માળખાગત સુવિધાઓ અને સામાજિક પરિવર્તનના આ યુગમાં, જો કોઈ પડકાર છે જે વિકાસની ગતિને અવરોધે છે, તો તે સંગઠિત અપરાધ છે. ગુના), ગુનાહિત સિન્ડિકેટ, ડ્રગ હેરફેર, ગેરકાયદેસર ખાણકામ, હવાલા સાયબર ક્રાઇમ, ખંડણી, જમીન માફિયા, માનવ તસ્કરી અને જામીન પર છૂટ્યા પછી વારંવાર ગુનાઓ કરતા રીઢો ગુનેગારો. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે આવા ગુનાઓ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ રાષ્ટ્રના અર્થતંત્ર, લોકશાહી, રોકાણ, સામાજિક વિશ્વાસ અને નાગરિક સુરક્ષા પર સીધો હુમલો છે. આજે, 30 જૂન,…
Amreli,તા.07 અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન લાઠી નગર પાલિકાના પ્રમુખના પતિ, પાલિકાના સભ્યો અને એન્જિનિયરે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગઈકાલે લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને લાઠી ગામના ખોડીયાર નગર વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. આ…
મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી Amreli તા.07 સાવરકુંડલા અને લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જીરા રોડ–ભેંસવડી વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ગઈકાલે રાત્રે મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ કલાકો સુધી સાવરકુંડલા સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં રેલવે વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના જીરા…
