- 19 જુલાઈનું પંચાંગ
- ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
- વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
- ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
- Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
- Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
- Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
- જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
Author: Vikram Raval
Washington, તા. 8 અમેરિકાની ફેડરલ કોર્ટે જેલમાં બંધ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેનાં મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ સામે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો અને કાવતં ઘડવાનો સત્તાવાર ગુનાહિત આરોપ મૂક્યો છે. અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ચલાવવામાં આવેલાં `ઓપરેશન હાર્ડ બોલ’ નામનાં એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશન બાદ આ સનસનાટીપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત સાથે જોડાયેલા આ સંગઠિત ગુનાહિત જૂથોના નેટવર્કને તોડવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે. આ વ્યાપક ઓપરેશન હેઠળ અમેરિકાનાં ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓએ કેલિફોર્નિયા, જોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતનાં વિવિધ દેશોમાં…
Tehran,તા.08 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લા ખામેનેઈની અંતિમવિધિમાં દ્રશ્યો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારીક જહાજો પર ઈરાનના હુમલા બાદ તુર્તજ અમેરિકાએ `શિક્ષા’ના પગલા તરીકે ઈરાનના કેશમ દ્વીપ અને સિરિક પોર્ટ પર ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવતા 80 જેટલા હુમલા કર્યા હતા. તેની સાથે જ ઈરાનને તેનું ક્રુડતેલ વેચવાની સંમતિ આપી હતી તે લાયસન્સ પણ પાછુ ખેચી લેતા ફરી ક્રુડતેલમાં નવા ભડકાના સંકેત છે. ઈરાને પણ અમેરિકી હુમલાના જવાબમાં ગલ્ફમાં અમેરિકી મથકો પર હુમલા કરતા યુદ્ધ વિરામ તુટી પડવાના સંકેત છે. બ્રીટીશ મેરીટાઈમ સિકયોરિટી એજન્સીના જણાવ્યા મુજબ હોર્મુઝમાંથી પસાર થઈ…
New Delhi,તા.08 સમગ્ર દેશમાં E20 પેટ્રોલ મુદ્દે એન્જિનમાં ખામી થશે તો, ગાડીમાં મુશ્કેલી થશે કે નહીં, લાંબા સમય સુધી આની પ્રાપ્યતા રહેશે કે નહીં એવા અનેક સવાલ ચર્ચામાં છે. આ વિષય પર કેટલાક દાવાઓ પણ થઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. નિતીન ગડકરીએ એક એવી કાર જણાવો જેમાં ફ્યૂઅલના કારણે કોઈ સમસ્યા આવી હોય? વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત તેમને કહ્યું હતું કે, કોલસો, પેટ્રોલ તથા અન્ય સામગ્રી પર નિર્ભરતા હોવી એ આર્થિક રીતે બોજા સમાન છે. આ કારણે ફ્યૂઅલની આયાત કરવી વાર્ષિક ધોરણે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાવે…
New Delhi,તા.08 ઇંગ્લેન્ડે ત્રીજી ઝ20ઈંમાં ભારતને 125 રનના મોટા માર્જિનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ ફોર્મેટમાં રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો પરાજય છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમ 11.4 ઓવરમાં 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની બેટિંગ એટલી નબળી હતી કે ટીમના ફક્ત ચાર બેટ્સમેન જ બે આંકડા સુધી પહોંચી શક્યા, પરંતુ કોઈ પણ 13 રનથી વધુ રન બનાવી શક્યું નહીં. પહેલી વાર ભારત T20 માં 100+ રનના માર્જિનથી હારી ગયું છે. આ પહેલા, આ ફોર્મેટમાં રનની દ્રષ્ટિએ ટીમનો સૌથી મોટો પરાજય ન્યુઝીલેન્ડ…
કિશન સંમુખદાસ ભવનાની ગોંડિયા વૈશ્વિક સ્તરે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ડિજિટલ ક્રાંતિ, વૈશ્વિક રોકાણ, આધુનિક માળખાગત સુવિધાઓ અને સામાજિક પરિવર્તનના આ યુગમાં, જો કોઈ પડકાર છે જે વિકાસની ગતિને અવરોધે છે, તો તે સંગઠિત અપરાધ છે. ગુના), ગુનાહિત સિન્ડિકેટ, ડ્રગ હેરફેર, ગેરકાયદેસર ખાણકામ, હવાલા સાયબર ક્રાઇમ, ખંડણી, જમીન માફિયા, માનવ તસ્કરી અને જામીન પર છૂટ્યા પછી વારંવાર ગુનાઓ કરતા રીઢો ગુનેગારો. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે આવા ગુનાઓ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ રાષ્ટ્રના અર્થતંત્ર, લોકશાહી, રોકાણ, સામાજિક વિશ્વાસ અને નાગરિક સુરક્ષા પર સીધો હુમલો છે. આજે, 30 જૂન,…
Amreli,તા.07 અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન લાઠી નગર પાલિકાના પ્રમુખના પતિ, પાલિકાના સભ્યો અને એન્જિનિયરે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગઈકાલે લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને લાઠી ગામના ખોડીયાર નગર વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. આ…
મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી Amreli તા.07 સાવરકુંડલા અને લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જીરા રોડ–ભેંસવડી વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ગઈકાલે રાત્રે મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ કલાકો સુધી સાવરકુંડલા સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં રેલવે વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના જીરા…
( હિતેષ જોષી ) Una તા.07 માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી BAPS સ્વામીનારાયણ સંસ્થા ઊના તાલુકા પુર અસર ગ્રસ્ત ગામો જઈ ફુડ પેકેટ વિતરણ કર્યું ઊના તાલુકા માં શનિવાર અને રવિવારે બે દિવસ ધોધ માર વરસાદ વરસ્યો હતો રાવલડેમ છલકાઈ ગયો હતો અને છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા તેથી રાવલ નદી માં ઘોડા પુર આવ્યું હતું નદી નું પાણી ગાંગડા, માલણ, સનખડા, ખત્રીવાડા ગામો માં ઘૂસી ગયા હતા લોકો ના મકાન માં કમર ડૂબ પાણી ભરાઈ જતા ઘર વખરી અનાજ બધું પલળી ગયું હતું. અસરગ્રસ્ત ગામો ના લોકો માટે ઊના અને મહુવા બી. એ. પી. એસ.…
Amreli,તા.07 અમરેલી જિલ્લમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે. ધારી તાલુકાના ખોખરા મહાદેવ વિસ્તારમાં રહેતા ચંદુભાઇ રવજીભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષીય યુવક ગત તા.૫ ના સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના દસેક વાગ્યા દરમ્યાન ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં રહેણાંક ફરજામાં સુતા હતા ત્યારે અતિ વરસાદને કારણે તે ફરજાની દિવાલ અચાનક પડી જતા યુવક ફરજાની છત નીચે તેમજ છતના બીમના વચ્ચે આવી જતા માંથામા તેમજ જમણા હાથે નાની મોટી ઇજાઓ થવાથી તેમજ મૂજારો થવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. …
માત્ર સાફ-સફાઈ જ નહીં, ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવી બંધ પડેલાં મોંઘા સાધનો ફરી ઉપયોગમાં લેવાયા Rajkot, ગુજરાતભરમાં ૧ જુલાઈથી શરૂ થયેલા રાજ્યવ્યાપી “નમો સ્વચ્છતા અભિયાન”નો આજે સાતમો અને આખરી દિવસ છે. ૧ જુલાઈથી શરૂ થયેલા આ મહાઅભિયાનના માત્ર ૬ જ દિવસમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને કુલ ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧૬૫ ઓરડાઓ ખાલી થયા છે. આ અભિયાન માત્ર સાફ-સફાઈ પૂરતું સીમિત ન રહેતા ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હોસ્પિટલોમાં બંધ પડેલી અંદાજે ૩૪,૧૬૬ જેટલી વિવિધ વસ્તુઓનું સફળતાપૂર્વક રિપેરિંગ કરીને…
