Author: Vikram Raval

Mumbai,તા.17 ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે આગામી સમયમાં ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મોંઘવારી દર પણ ઝડપથી વધવાની શક્યતા છે. ઝોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુનું કહેવું છે કે અમેરિકા સંતુલિત દ્વિપક્ષીય વેપાર પર જોર આપી રહ્યું છે અને રેસિપ્રોકલ એટલે કે પારસ્પરિક ટેરિફની ધમકી આપી રહ્યું છે. તેનાથી ભારતને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારની અસરો પડશે  વેમ્બુએ આગળ કહ્યું કે ‘ભારત અમેરિકાને સોફ્ટવેર સેવાઓ નિકાસ કરે છે અને ચીનથી ઉપભોક્તા સામાન આયાત કરે છે. અમેરિકાની સાથે સરપ્લસ ચીનની સાથે ખાધથી વધુ છે. ભારતે ટૂંક સમયમાં દ્વિપક્ષીય વેપારને સંતુલિત કરવા માટે અમેરિકાથી પહેલા કરતાં વધુ iPhone,…

Read More

Mumbai,તા.17 ઉનાળાના વેકેશન દરમિયાન અમેરિકા ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ગયા વર્ષની સરખામણીએ રૂપિયા 20 હજાર જેટલા વધુ ખર્ચ કરવા પડી શકે છે. વાત એમ છે કે, ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડીને 86.67 થઇ જતાં અમેરિકાનો પ્રવાસ મોંઘો થઇ ગયો છે. છેલ્લા 5 વર્ષમાં ડોલર સામે રૂપિયાનો ભાવ 15 રૂપિયા 16 પૈસા વધ્યો ઉનાળાના વેકેશનમાં વિદેશ ફરવા જવાનું હોય તો સામાન્ય રીતે લોકો જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં તેના બૂકિંગ કરાવતા હોય છે. આ વખતે પણ વિદેશ પ્રવાસ માટે ઈન્ક્વાયરી-બૂકિંગનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ પેકેજ ગયા વર્ષની સરખામણીએ વધી ગયું છે. ગયા વર્ષની સરખામણીએ અમેરિકા માટે રૂપિયા 15થી 20 હજાર, યુરોપિયન…

Read More

શપથવિધિની તારીખ નક્કી, 7 નામ રેસમાં Delhi,તા.17 દિલ્હીમાં ભાજપ 20 ફેબ્રુઆરીથી સત્તાની કમાન સંભાળશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે શપથ વિધિ યોજાશે. શપથ ગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ મંચ બનાવવામાં આવશે. મંચ પર લગભગ 100થી 150 ખુરશીઓ મૂકવામાં આવશે. સામાન્ય લોકો માટે બેસવા 30,000 ખુરશીઓ મૂકવામાં આવશે. ભાજપ 27 વર્ષ બાદ સત્તા પર દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ પોતાની સરકાર બનાવશે. હજી સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી. જેના માટે 17 ફેબ્રુઆરીના રોજ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. ભાજપના સૂત્રોએ…

Read More

prayagraj,તા.17 મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી. ફાયરબ્રિગેડ ઓફિસરે આપી માહિતી  ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારી પ્રમોદ કુમાર શર્માએ કહ્યું કે સેક્ટરમાં 8 એક ટેન્ટમાં આગની ઘટના બની હતી. જોકે સમય સૂચકતા સાથે આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ મોટી જાન કે માલ હાનિના અહેવાલ સામે આવ્યા નથી. અગાઉ ક્યારે ક્યારે આગ લાગી?  ઉલ્લેખનીય છે કે આ પહેલા…

Read More

Vrindavan,તા.17 ઠાકુર બાંકેબિહારી મંદિરમાં રવિવારે શ્રદ્ધાળુઓનો ધસારો વધવાથી સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. ભીડની વચ્ચે દબાઈને એક મહિલા શ્રદ્ધાળુનો પગ ફ્રેક્ચર થઈ ગયો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પાંચ અન્ય મહિલા શ્રદ્ધાળુઓની પણ હાલત બગડી ગઈ. મંદિર પર હાજર ડોક્ટરોની ટીમે તમામને સારવાર આપી. જે બાદ હાલતમાં સુધારો થયો. સતત વધી રહેલી ભીડના કારણે તંત્ર અને સુરક્ષાની વ્યવસ્થા અપૂરતી નજર આવી. હોળી પર ઠાકુરજીના દર્શન માટે ભક્તોની ભીડ વૃંદાવન પહોંચી રહી છે. રવિવારે રજાના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી વધી ગઈ કે તેને કાબૂ કરવી મુશ્કેલ થઈ ગઈ. ધક્કા-મુક્કીની વચ્ચે મંદિર પરિસર અને બહાર સુધી સ્થિતિ બેકાબૂ નજર આવી. આ…

Read More

Mumbai,તા.17 અમેરિકાના ટ્રેડવોરના ગભરાટ હેઠળ કેટલાક દિવસોથી મંદીમાં ધકેલાયેલા શેરબજારમાં આજે અફડાતફડી હતી. પ્રારંભીક ગાબડા બાદ રિકવરી હતી. શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને જ થઈ હતી. વિશ્વબજારના અનિશ્ચિત માહોલ, ટ્રેડવોર વધવાની આશંકા, યુક્રેન-રશિયા યુદ્ધમાં બ્રિટન જેવા દેશોની એન્ટ્રીના ભણકારા, વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી વેચવાલી સહિતના કારણોથી મોટાભાગના શેરો નીચે ઉતરતા રહ્યા હતા. માર્કેટ દબાણ હેઠળ જ હતુ. જો કે, અંતિમ તબકકામાં નીચા મથાળે લોકલ ફંડોની લેવાલી નિકળતા તથા નવેસરથી ખરીદી માલુમ પડતા દબાણ ધીમુ પડવા સાથે માર્કેટ રિકવર થવા લાગ્યુ હતુ. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હેવીવેઈટ ઉપરાંત મીડ-સ્મોલકેપમાં પણ રિકવરી હતી એટલે સાર્વત્રિક લેવાલીના સંકેત હતા. જો કે, હજુ ટુંકાગાળામાં…

Read More

Mumbai,તા.17 ભારતીય પ્રદર્શકો હિન્દી ફિલ્મોને ફરીથી રજૂ કરી રહ્યાં છે, જેમાં તુમ્બબાદ અને સનમ તેરી કસમ જેવી 5 – 8 વર્ષ જૂની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ તેનાં જુના બોક્સ ઓફિસ કલેકશન કરતાં રી-રીલીઝમાં વધુ કમાણી કરી છે. આમાની ઘણી ફિલ્મો પહેલાં જયારે રીલીઝ થઈ હતી તે દરમિયાન સારું પ્રદર્શન ન કરી શકી હતી પણ તે ફિલ્મોને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, ટીવીમાં પ્રેક્ષકો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. હવે આ રી રીલીઝ પર ખાસ કરીને નવી પેઢીનાં દર્શકો આ ફિલ્મોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. સનમ તેરી કસમે તેની રી રીલીઝ દરમિયાન આઠ દિવસમાં લગભગ 28 કરોડની કમાણી કરી હતી…

Read More

Mumbai,તા.17 વિક્કી કૌશલની કારકિર્દીમાં આ પહેલીવાર છે કે તેની સોલો ફિલ્મે રિલીઝના પહેલાં સપ્તાહમાં જ સો કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે. વિકીએ ‘છાવા’ ફિલ્મ માટે સખત મહેનત પણ કરી હતી અને તે લાંબા વાળ અને દાઢી લાંબા સમય સુધી રાખ્યાં હતાં અને તે આ લુક સાથે મહિનાઓ સુધી મુંબઇમાં જોવા મળતો હતો. છાવાએ રિલિઝના પહેલાં જ દિવસે પોતાનાં બજેટના 20 ટકાથી વધુની કમાણી કરી છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મે બીજા દિવસે અડધી સદી ફટકારી હતી અને રવિવાર સાંજ સુધીમાં આ ફિલ્મે ત્રીજા દિવસે જ સદી ફટકારી દીધી હતી. પહેલાં વીકએન્ડમાં જ ફિલ્મનું કલેક્શન 110 કરોડ રૂપિયા સુધી પહોંચી…

Read More

New Delhi,તા.17 આઇસીસી ઇવેન્ટ્સમાં સામાન્ય રીતે ‘છુપિ રૂસ્તમ’ તરીકે ઉતરતી ન્યુઝિલેન્ડ ટીમનું તાજેતરનું ફોર્મ, તેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ માટે સૌથી મોટો દાવેદાર બનાવે છે. આજુ વખતે કીવી ટીમ દાવેદાર તરીકે ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે પાકિસ્તાનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટ્રાઇ સેરીઝમાં ન્યુઝિલેન્ડની ટીમે જીત મેળવી અને મજબૂત તૈયારીઓનો સંદેશ આપ્યો છે. કીવી ટીમ છેલ્લાં વનડે વર્લ્ડ કપથી અદભૂત લયમાં ચાલી રહી છે. તેમણે ભારતમાં યોજાયેલાં 2023 વનડે વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનમાં ટ્રાઇ સિરીઝમાં, ન્યુઝીલેન્ડની ટીમે અજેય રહેતાં જીતી મેળવી હતી. બેટિંગમાં સારું પ્રદર્શન વર્ષ 2019 પછી, પાકિસ્તાનમાં ન્યુઝીલેન્ડની ટીમે અન્ય કોઈપણ…

Read More

Berlin, તા.17 સેલિબ્રિટીઓ આ દિવસોમાં ફિટનેસ માટે ઉપવાસ (ડાયટિંગ) પર ભાર મૂકે છે, જેની અસર યુવાનો પર પણ પડી રહી છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ પડતો ડાયેટિંગ કે સમયસર ન ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેકનિક વજન ઘટાડવામાં મદદરૂપ છે, પરંતુ ભોજન છોડવાથી ઇન્સ્યુલિન બનવાનું અટકાવીને ડાયાબિટીસને પ્રોત્સાહન મળે છે.આ અભ્યાસ જર્મનીની મ્યુનિક યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. ભૂખ્યું રહેવાથી શરીરના ઇન્સ્યુલિનના ઉત્પાદનને અવરોધે છે: સંશોધકોએ ઉંદરો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો. એવું જાણવા મળ્યું કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરના ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં અવરોધ…

Read More