Author: Vikram Raval

પાકિસ્તાનમાં ૧૯મીથી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થનારો છે જેમાં આઠ ટીમ ભાગ લેનારી છે Karachi, તા.૧૫ પાકિસ્તાનમાં સુરક્ષાની વ્યવસ્થા અને જોખમને કારણે ભારત સરકારે તેની ક્રિકેટ ટીમને ત્યાં નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો અને તેને સમર્થન મળી ગયું હતું કેમ કે જ્યાં અત્યંત મહત્વની મેચો રમાનારી છે અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને હવે માંડ એક સપ્તાહનો સમય રહી ગયો છે ત્યારે કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે એક બનાવટી ઓળખપત્ર સાથે ઘુસેલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે રમાનારી ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ અગાઉ આ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મુઝમીલ કુરેશી તરીકે ઓળખાયેલી આ…

Read More

તાજેતરમાં “બાળકોમાં સામાન્યપણે જોવા મળતાં વિવિધ કેન્સરઃ વાસ્તવિક્તા અને ભ્રમ” શીર્ષક સાથે એક કાર્યક્રમ યોજાયો હતો. Ahmedabad, તા.૧૫ કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ બનનારા બાળકોનું પ્રમાણ સમયાંતરે વધી રહ્યું છે અને રાજ્યમાં વર્ષે ૩૦૦૦ જેટલા બાળકો વિવિધ પ્રકારના કેન્સરના દર્દી બનતાં હોવાનો ચોંકાવનારો અને ચિંતાજનક અંદાજિત તારણ નિષ્ણાત તબીબોએ આપ્યું છે. અલબત્ત, આ મામલે સ્પષ્ટ અને વિગતવાર ડેટા અને સરવેનો અભાવ હોવાથી ચોક્કસ આંકડો આપવામાં તબીબો પણ અસમર્થ છે. પરંતુ બાળકોમાં વધતો જંક ફુડનો ક્રેઝ, ઘરની બહાર નીકળીને શારીરિક રમતો અને કસરત વગેરેનો અભાવ હોવાથી તેઓ પણ ઝડપથી કેન્સરની નાગચુડમાં ફસાઇ જતાં હોવાની ચિંતા ડોક્ટરોએ દર્શાવી છે. બાળકોને કેન્સરથી દૂર…

Read More

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના માતા-પિતાએ અગાઉ તોફાની વિદ્યાર્થીને સમજાવ્યો હતો, પણ તે સમજ્યો નહોતો Rajkot, તા.૧૫ રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ-૧૦નો એક વિદ્યાર્થી છરી લઈને સ્કૂલે પહોંચ્યો અને સાથી મિત્રને ઘા ઝીંકી દેતા તેને ઇજા પહોંચી હતી. ૧૫ વર્ષનો સગીર સ્કૂલ બેગમાં છરી લઈ પહોંચતા ચકચાર મચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧૫ વર્ષીય છાત્ર ધોરણ- ૧૦માં અભ્યાસ કરે છે. તે સરળ સ્વભાવનો છે. તેની સાથે જ ભણતો ટીખળખોર વિદ્યાર્થી અવારનવાર તેને હેરાન કરતો હતો. આથી સરળ સ્વભાવના છાત્રે અગાઉ બે…

Read More

Kerala , તા.૧૫ કેરળના પલઈમાં રોમન કેથોલિક ચર્ચની જમીન પર એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ મંદિર લગભગ ૧૦૦ વર્ષ પહેલાં નાશ પામ્યું હોવાની ચર્ચા છે. આ પછી ચર્ચ સમિતિ અને ફાધરે હિન્દુ સમુદાયને ધાર્મિક વિધિ ‘દેવપ્રશ્નમ’ કરવાની પરવાનગી આપી છે. ‘દેવપ્રશ્નમ’ એ ભગવાનની ઇચ્છા મેળવવા માટે કરવામાં આવતી એક જ્યોતિષીય વિધિ છે. સ્થાનિક હિન્દુ સંગઠનો અને ચર્ચના સભ્યોના જણાવ્યા અનુસાર ૪ ફેબ્રુઆરીએ જ્યારે ૧.૮ એકર જમીન પર કસાવા (ટેપીઓકા)ની ખેતી માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા હતા, જેમાં શિવલિંગનો પણ સમાવેશ થાય છે.આ જમીન વેલ્લાપ્પડુમાં શ્રી વનદુર્ગા ભગવતી મંદિરથી લગભગ એક…

Read More

લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો છે Mumbai, તા.૧૫ ઈન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા છે. વેલેન્ટાઈન ડેના અવસર પર તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોનો અંત આવી ગયો છે અને અલગ થયા બાદ હવે તે ફરીથી જીવનમાં આગળ વધી ગયા છે.લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગર્લળેન્ડ સાથેનો એક વીડિયો શેર કર્યો છે.…

Read More

થોડા સમય પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે અભિનેત્રી ચુમ દારંગ પર જાતિવાદી ટિપ્પણી કરી હતી Mumbai, તા.૧૫ થોડા સમય પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે અભિનેત્રી ચુમ દારંગ પર જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે આ કિસ્સામાં, અરુણાચલ પ્રદેશ મહિલા આયોગે રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર મોકલીને આ અંગે કડક કાર્યવાહીની માંગ કરી છે.યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રભાવક એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદમાં ઘેરાયેલા છે. થોડા સમય પહેલા, એક પોડકાસ્ટ દરમિયાન, તેમણે ‘બિગ બોસ ૧૮’ ના સ્પર્ધક ચુમ દારંગ પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. તેમનો વીડિયો અને આ નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થયું, જેના પછી…

Read More

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનની ચર્ચાઓ થઈ રહી છે Mumbai, તા.૧૫ જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થયા તો દુનિયાભરમાં આ લગ્નની ચર્ચાઓ હતી. એક યુવતી દ્વારા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ યુવતીનું નામ છે જાન્હવી કપૂર. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનની ચર્ચાઓ થઈ રહી છે. મોટાભાગે તો આ ચર્ચાઓ એવી છે કે તેમના લગ્ન જીવનમાં બધું બરાબર નથી. પરંતુ આ બધી જ ચર્ચાઓ વચ્ચે બંને એકસાથે પણ જોવા મળે છે. તાજેતરમાં જ્યારે અભિષેક…

Read More

Ranchi,તા.૧૫ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાંચીમાં બીઆઈટી મેસરાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સંસ્થાના શિક્ષણ, સંશોધન અને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો યોગ્ય પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બીઆઇટી મેસરા ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સતત વિકાસમાં સમૃદ્ધ યોગદાન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં એઆઇ અને ’મશીન લર્નિંગ’ ક્ષેત્રમાં દૂરગામી પ્રગતિ સાથે મોટા ફેરફારો થશે. મુર્મુએ જણાવ્યું હતું કે કેન્દ્ર ઉચ્ચ શિક્ષણમાં છૈં ને એકીકૃત કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને તે ગર્વની વાત છે કે રાંચી સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,મેસરા ૨૦૨૩…

Read More

Raipur,તા.૧૫ શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં ૧૦ માંથી ૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. હવે બધા કોર્પોરેશનો ભાજપ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. રાયપુરથી મેયર પદના ઉમેદવાર મીનલ ચૌબે એક લાખથી વધુ મતોથી જીત્યા છે. અત્યાર સુધી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી સંભાળી રહ્યા હતા. તે ત્રણ વાર કાઉન્સિલર રહી ચૂકી છે. તે જ સમયે, કોરબા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપના મેયર ઉમેદવાર સંજુ દેવી રાજપૂતનો વિજય થયો છે. છત્તીસગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ બોડી અને નગર પરિષદની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર પોતાનો…

Read More

Bihar,તા.૧૫ દેશના લોકો જ નહીં, પણ વિદેશના લોકો પણ બિહારીઓની પ્રતિભાને સ્વીકારી રહ્યા છે. બિહારની આ દીકરીએ આનું ઉદાહરણ રજૂ કર્યું છે. બિહારના સારણ જિલ્લાના મુકરેરા ગામની રહેવાસી અને અમેરિકામાં ન્યાયાધીશ સવિતા સિંહ, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના પૈતૃક ગામમાં આગમન પર તેમના સ્વાગત માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. તે જાણીતું છે કે તેણીએ પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા ન્યાયાધીશ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જેના કારણે તેણી પોતાની અસાધારણ પ્રતિભા માટે જાણીતી છે. સવિતા સિંહ એનઆરઆઈ અને યુએસ સરકારી એન્જિનિયર શિવેન્દ્ર પ્રસાદ સિંહની પુત્રી છે. તે જિલ્લાના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના દાદા, સ્વ. રામપ્રસાદ…

Read More