- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
- યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
- Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
- Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
- American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
- ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
- આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
- એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
Author: Vikram Raval
Mumbai, વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ’છાવા’ એ રીલીઝના પહેલાં દિવસે કમાણીના ઘણાં રેકોર્ડ તોડી નાખ્યાં છે. શુક્રવારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 30 કરોડથી વધુની કમાણી કરી હતી, જે અપેક્ષા કરતાં વધુ સારી શરૂઆત હતી. આ સાથે જ આ ફિલ્મે વિક્કી કૌશલની રિલીઝના દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અગાઉ વિક્કીની ફિલ્મ બેડ ન્યૂઝ અને ઉરીએ ઓપનિંગ દિવસે 8 કરોડ 20 લાખથી વધુની કમાણી કરી હતી. ચાલો આપણે જાણીએ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર કયાં રેકોર્ડ્સ તોડ્યાં છે. વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ’છાવા’ આ વર્ષની સૌથી મોટી ઓપનર…
Mumbai,તા.15 યામી ગૌતમનું નામ એવી અભિનેત્રીઓની સૂચિમાં શામેલ છે જે કોઈપણ ફિલ્મમાં ખૂબ જ કુશળતાપૂર્વક કામ કરે છે. હવે તેની નવી ફિલ્મ ધૂમ ધામ ઓટીટી પર રિલીઝ થઈ છે. કોમેડી અને એક્શનથી ભરપૂર, આ ફિલ્મ સમજાવે છે કે છોકરીઓને પરિવારનાં સભ્યો અને તેમનાં પતિની સામે શા માટે ખોટું બોલવું પડે છે ? ફિલ્મની શરૂઆતમાં, એક દંપતી પોતાનો જીવ બચાવીને ભાગતાં જોવા મળે છે, જેનો પીછો ગુંડાઓ ચાર્લીને શોધવા માટે કરે છે. મોટાભાગની હિન્દી ફિલ્મોએ આવી જ કોમેડી અને એકશન આધારિત વાર્તા બતાવવામાં આવે છે તો ચાલો જાણીએ કે નિરમાતાઓ આ ફિલ્મમાં નવું શું બતાવવાનો પ્રયાસ કરે છે અને શું આ…
પંજાબ સરકારે વિમાનને અમૃતસરમાં લાવવા સામે વાંધો ઉઠાવ્યો Amritsar,તા.15 યુ.એસ. માં રહેતાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પાછા મોકલવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના ભાગ રૂપે, એક અમેરિકન લશ્કરી વિમાન સી -17 ગ્લોબમાસ્ટર – 3 આજે અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરશે. તેમાં લગભગ 119 ભારતીય નાગરિકો હશે, જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતાં હતાં. દેશનિકાલ કરાયેલાં લોકોમાં પંજાબથી 67, હરિયાણાથી 33, ગુજરાતનાં 8, ઉત્તર પ્રદેશનાં 3, મહારાષ્ટ્રનાં 2 અને જમ્મુ -કાશ્મીર, હિમાચલ પ્રદેશનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. રવિવારે પણ, અન્ય એક અમેરિકન વિમાન 157 લોકો સાથે અમૃતસર પહોંચવાની ધારણા છે. પંજાબ સરકારે વિમાનને અમૃતસરમાં લાવવા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનએ કેન્દ્ર…
New Delhi,તા.15 પાટનગર દિલ્હીમાં ભવ્ય વિજય બાદ હવે રાજયમાં સરકાર રચવાની પ્રક્રિયા હવે આવતીકાલથી ઝડપી બનશે અને તા.18 અથવા તા.19ના રોજ નવા મુખ્યમંત્રી શપથ લે તેવા સંકેત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમના ફ્રાન્સ-અમેરિકાનો પ્રવાસ પુરો કરીને દિલ્હી પરત આવી ગયા છે અને આજેજ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાએ આજે પક્ષના મહામંત્રીઓની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સહિતની સંગઠન નવરચના પણ હવે ઝડપથી આગળ વધશે તથા રાજયોમાં પણ હવે ઝડપથી સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન કરશે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવા તૈયારી છે અને એક વખત મુખ્યમંત્રીનું નામ નિશ્ચિત થતા જ તા.18 અથવા તા.19ના…
New Delhi,તા.15 ભારત ઘણી ઉંચી ટેરિફ વસુલતુ હોવાના તથા ભારત સાથે વ્યાપાર કઠિન હોવાના વિધાન સાથે અમેરિકા પણ ઉંચી ટેરિફની સમાન નીતિ અપનાવશે તેવી ટ્રમ્પની જાહેરાત વચ્ચે ભારત સરકારે ર્બોબોન વ્હીસ્કીની આયાત જકાતમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત પુર્વે જ આ નિર્ણય લેવાયાનું જાહેર થયુ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉંચા ટેરીફ દર સામે નારાજગીને પગલે ભારત સરકાર દ્વારા ર્બોબોન વ્હીસ્કી પરની આયાત જકાત 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 13 ફેબ્રુઆરીએ જ આ આદેશ જારી કરાયો હતો પરંતુ તેના પર મોડુ ધ્યાન ખેંચાયુ હતુ. જો કે, અન્ય શરાબ પ્રોડકટ…
Annapolis,તા.15 બ્રાઝિલના એનાપોલિસ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક મહિલાનો મોબાઈલને અચાનક ફાટ્યો હતો ત્યારે મહિલાએ મોબાઈલને તેની જીન્સના પાછળનાં ખિસ્સામાં રાખ્યો હતો. વિસ્ફોટની સાથે જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને જોત જોતામાં તેનું પેન્ટ્સ સળગવા લાગ્યું હતું. આ જોઈને સુપરમાર્કેટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયાં અને આખા સુપરમાર્કેટમાં અફડાતફડી થઈ હતી. સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ રહ્યાં છે તે બતાવે છે કે સ્ત્રી તેનાં જીવનસાથી સાથે સુપરમાર્કેટમાં ખરીદી કરતી હતી. મોબાઇલને તેની જીન્સના પાછલાં ડાબા ખિસ્સામાં રાખવામાં આવ્યો હતો. અચાનક ફોન ફૂટ્યો અને આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ એટલી જોરદાર હતી કે સ્ત્રી પીડાથી ચીસો પાડવા લાગી હતી અને…
Mumbai,તા.15 રણવીર અદ, જે તેનાં પોડકાસ્ટ માટે જાણીતો છે, જે એક શો પર અશ્લીલ પ્રશ્ન પુછીને વિવાદમાં ફસાયો છે અને હાલ તે ગુમ છે. પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી છે, પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ છે અને ઘરે તાળું છે. રણવીર અલ્લાહબાદિયા એક પ્રખ્યાત કંટેન્ટ ક્રિકેટર છે જે તેનાં પોડકાસ્ટ માટે જાણીતો છે. પરંતુ સમય રૈનાના શો ’ઈન્ડિયા ગોટ લેટન્ટ’ પર આવ્યાં પછી, તેનો કામધામ ઠપ થયો છે. આ શોમાં તેણે માતાપિતાનાં સંબંધ વિશે એક અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો જે બાદ હોબાળો થયો હતો અને લોકોએ તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. હવે મુંબઈ પોલીસનાં જણાવ્યાં મુજબ, યુટ્યુબર ફરાર છે.…
Jammu and Kashmir ,તા.15 જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટ પણ સામેલ છે, જે પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતો હતો. જાણકારી અનુસાર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના એક કર્મચારી સહિત 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. ત્રણેય કર્મચારી અલગ-અલગ આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં જેલમાં કેદ છે. આ મોટી કાર્યવાહી ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી. બેઠકમાં ઉપરાજ્યપાલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ અને પડદાની પાછળ છુપાયેલા આતંકી તંત્રને…
Ahmedabad, તા. 15 પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. વિગતો અનુસાર લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની હતી. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
સંસદમાં રજૂ કરવામાં આવેલા 2025-26ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાંની આવક કરવામાં આવે તો તે ભાડાંની આવકને વેરાપાત્ર આવક ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની આવકને વેરામુક્ત આવક તરીકે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય આવકવેરાના નવા સૂચિત ખરડામાં લેવામાં આવ્યો છે. આવકવેરા ધારા 1961ને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇન્કમટેક્સ બિલ 2025માં પ્રસ્તુત જોગવાઈ કરવામાં આવી છે. બીજીતરફ ખેતીની ઉપજ ઉપર પ્રોસેસ કરીને તેની મૂલ્માં વધારો કરવાની પ્રક્રિયા પછીના પ્રોડક્ટ્સ અને તેને બજારમાં માર્કેટેબલ બનાવવાથી થયેલી આવકને પણ હવે વેરાપાત્ર આવક…
