આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું
Mumbai,તા.18
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હવે એકસાથે મોટા પડદા પર તેમની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે જોવા મળશે, જેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ હતી અને લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોવાતી હતી. બોલિવૂડના આ ત્રણેય સ્ટાર્સ ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહ્યાં છે. હવે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ રહી છે.ઘણી રાહ જોવાયા બાદ, ‘લવ એન્ડ વોર’ને હવે અંતે રિલીઝ ડેટ મળી ગઈ છે. મેકર્સ ભણસાલી પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી. આ ફિલ્મ એક ઇન્ટેન્સ રોમેન્ટિક એક્શન ડ્રામા હોવાની અપેક્ષા છે, જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ઓળખરૂપ ભવ્યતા અને સિનેમેટિક વૈભવ જોવા મળશે. તેમનાં ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને ભવ્ય પ્રેઝન્ટેશન સાથે ફિલ્મ પ્રજાસત્તાક દિવસના પર્વ પહેલા થોડા દિવસો પહેલાં સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થવાની છે.આ પહેલા, ફિલ્મને ૨૦૨૬ના ઉનાળા વેકેશમાં રિલીઝ કરવાની યોજના હતી. જોકે, સ્ટોરીલાઇન અને પ્રોડક્શનમાં થયેલા ફેરફારોને કારણે વિલંબ થયો હતો. તાજેતરમાં રણબીર કપૂરે પણ કહ્યું હતું કે ‘રામાયણ’ પાર્ટ ૧ પછી જ આ ફિલ્મ રિલીઝ થશે, અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે રણબીર પોતાની બે ફિલ્મોની રિલીઝ વચ્ચે કમ સે કમ બે મહિનાનું અંતર રહે એવું ઇચ્છતો હતો.આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની સફળતા બાદ તેઓ ફરી એક ભવ્ય પ્રોજેક્ટ સાથે પરત ફરી રહ્યા છે અને ફરીથી આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે.જોકે, વચ્ચે તેમની પહેલી વૅબ સિરીઝ હિરામંડી પણ આવી ગઈ, આ ભવ્ય અને જાજરમાન સિરીઝમાં મનિષા કોઈરાલા, અદિતી રાવ હૈદ્રી, રિચા ચઢ્ઢા અને સોનાક્ષી સિંહા સહિતની એક્ટ્રેસના દમદાર રોલ હતાં. હવે આ સિરીઝની સિક્વલ પર પણ કામ શરૂ થવાનું છે. રણબીર કપૂર હવે ‘રામાયણ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, દિવાળી ૨૦૨૬ અને ૨૦૨૭માં.નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ હિંદુ મહાકાવ્ય પર આધારિત છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, યશ રાવણ તરીકે અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળશે, જ્યારે રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે.બીજી તરફ, આલિયા ભટ્ટ પાસે ‘અલ્ફા’ નામની સ્પાય એક્શન ફિલ્મ પણ છે, જેમાં શર્વરી તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે વિકી કૌશલની આ ફિલ્મ પછી મહાવતાર આવી રહી છે, તેમાં પણ એ છાવાના મેકર્સ સાથે ફરી કામ કરવાનો છે. આ ફિલ્મના પહેલા લૂક પછી જ તેની પણ ચર્ચા છે. હવે ભણસાલી આ ફિલ્મમાં રણબીર, આલિયા અને વિકીને કેટલી ભવ્યતા સાથે રજુ કરે છે એ જોવાની દર્શકોમાં ઉત્સુકતા છે.

