New Delhi, તા.6
ચેક બાઉન્સના કેસમાં કોર્ટની ફટકાર બાદ ગુરુવારે સાંજે બોલીવૂડના કોમેડિયન-અભિનેતા રાજપાલ યાદવે તિહાર જેલમાં આત્મ સમર્પણ કર્યું હતું. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માની પીઠે કડક નારાજગી દર્શાવી યાદવને તરત આત્મ સમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો.
બેન્ચે કહ્યું હતું કે, અદાલતના આદેશ છતાં પણ 4 ફેબ્રુઆરીએ આત્મ સમર્પણ કરવામાં તેમની નિષ્ફળતા કાયદા પ્રત્યે ઓછું સન્માન દેખાડે છે. યાદવના વકીલે બેન્ચને દયાની અપીલ કરી હતી.
જેના પર પીઠે કહ્યું હતું તે અદાલતથી એ આશા ન રાખી શકાય કે તે કોઇપણ વ્યક્તિ માટે માત્ર એટલા માટે ખાસ હાલત દેખાડે કારણ કે તે વ્યક્તિ કોઇ ખાસ બેક ગ્રાઉન્ડ કે ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ રાખે છે.
બાદમાં એક્ટર રાજપાલ યાદવ સાંજે 4 વાગ્યે તિહાર જેલ પહોંચ્યા હતા અને આત્મ સમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમને જેલ નંબર-7માં મોકલાયો હતો. તિહાર જેલ નંબર-2માં અનેક ખૂંખાર ગેંગસ્ટર અને આતંકવાદી સળિયાની પાછળ બંધ છે. અન્ડર વર્લ્ડ ડોન ઘોટા રાજન અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચનાર તહાવુર રાણા આ જેલમાં છે. જેમની વચ્ચે કોમેડિયન રાજપાલ યાદવ રહેશે.

