Jamnagarતા ૧૪
જામનગર શહેરમાં આજે ૧૪મી એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને નગરના રાજકીય અગ્રણીઓ તેમજ દલિત સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહી ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા, અને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જામનગર મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, દલિત સમાજના અગ્રણીઓ, શહેર ભાજપના કોર્પોરેટર વગેરે જોડાયા હતા, અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.