હાલ એક્તા કપૂર કે એની ટીમ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, તેઓ જૂન ૨૦૨૫માં આ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે
Mumbai, તા.૪
એકતા કપૂર ૨૦૦૦ના દાયકામાં બનાવેલી તેની ટીવી સિરિયલથી ખાસ જાણીતી થઈ હતી. તે જે પણ ચેનલ પર પોતાની સિરીયલ શરૂ કરતી તે ટોપ રેટિંગમાં પહોંચી જતી હતી. ખાસ તો તેની ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર ઘર કી’ સિરયલ ખુબ લોકપ્રિય થઈ હતી. આ સિરીયલોના ટાઇટલ સોંગથી ઘર ઘર ગૂંજી ઉઠતાં હતાં. લોકો શુક્રવાર રાતથી સોમવાર સાંજનો સમય મુશ્કેલીથી પસાર કરતાં હતાં. હવે એકતા કપૂર એ દોરની યાદી તાજી કરીને એ જ ફ્લેવરની એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહી છે. તેની ૨૦૦૦થી ૨૦૦૮માં આવેલી સૌથી લોકપ્રિય સિરીયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની ઓજી કાસ્ટ સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય સાથે એક સિરીઝ બનાવવા જઈ રહી છે. તેમાં ફરી એક વખત મિહિર અને તુલસી વિરાણી જોવા મળશે. મૂળ સિરીયલનો છેલ્લો એપિસોડ નવેમ્બર ૨૦૦૮માં ટેલિકાસ્ટ થયો હતો. ત્યારે હવે આ સિરીયલ પરથી બનેલી સિરીઝનું કામ પૂર જોશથી શરૂ થઈ ગયું છે. મહત્વની વાત છે કે દેશના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ફરી એક વખત તુલસી વીરાણીના રોલમાં જોવા મળશે. આ સિરીઝનો પહેલો સીન, જે રીતે ક્યુંકી..માં જે રીતે તુલસી પરિવારના દરેક સભ્યનો પરિચય કરાવતી હતી એ જ રીતે શરૂ થશે. જ્યાં મૂળ સિરીયલ શૂટ થઈ હતી, ત્યાં જ આ સિરીઝ પણ શૂટ કરવામાં આવશે.આ જ કારણથી અમર ઉપાધ્યાયે તેની ચાલુ સિરીયલ ‘ડોરી’માંથી પણ વિદાય લઈ લીધી છે. હાલ એક્તા કપૂર કે એની ટીમ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, તેઓ જૂન ૨૦૨૫માં આ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. થોડાં વકત પહેલાં સ્મૃતિ ઇરાની સાથે એકતા કપૂરે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે ભારતની તુલસીને યાદ કરી હતી.