Amreli – Bhavnagar ,તા.4
હાલ ચોમાસુ ઋતુમાં સિંહ દર્શન માટે સાસણગીર સહિતનાં અભ્યારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓનો પ્રવેશ બંધ છે.ત્યારે અમરેલી ભાવનગર જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં અવાર નવાર સિંહ-દીપડા સહિતના હિંસક વન્યપ્રાણીઓ નિહાળવા મળી રહ્યા છે. અને છાસવારે મારણનાં કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજુલાના ખારી ગામમાં એક સાથે સાત સિંહો ગામની શેરીઓમાં નિર્ભય રીતે આંટાફેરા કરતા જોવા મળ્યા હતા, જ્યારે સાવર કુંડલાના મેવાસા ગામમાં સિંહે રહેણાંક વિસ્તાર નજીક પશુનો શિકાર કરતાં સમગ્ર ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ હતી.
બંને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ સામે નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામમાં એકસાથે સાત સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મોડી રાત્રે સિંહો ગામની શેરીઓમાં નિર્ભય રીતે આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાના લાઈવ CCTV દૃશ્યો સામે આવ્યા છે, જેમાં સિંહો ગામની મધ્યમાં ફરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
સિંહોની હાજરીને પગલે ગ્રામજનોએ સુરક્ષાના ભાગરૂપે ઘરના બારી-બારણાં બંધ કરી દીધાં હતા અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. સ્થાનિક લોકોએ વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા તેમજ સિંહોની સતત અવરજવર અટકાવવા અસરકારક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.
બીજી તરફ સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામમાં પણ સિંહે રહેણાંક વિસ્તાર નજીક ધસી આવી પશુ પર હુમલો કરી શિકાર કર્યો હતો. ઝરમર વરસતા વરસાદ વચ્ચે બનેલી આ ઘટનામાં શેરીમાં ઉભેલા પશુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આખી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ધારી તાલુકાના છતડીયા ગામ નજીક આવેલ રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર એક સાથે પાંચ સિંહો પહોંચી જતાં અને આ સમયે જ ચલાલા જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થતી હતી. ત્યારે આ ટ્રેનના લોકો પાયલોટે દૂરથી જ સિંહોને રેલવે ટ્રેક ઉપર જોઈ લેતા અને સમયસર ટ્રેન થંભાવી દીધી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા સરસિયા રેન્જની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
વનવિભાગના કર્મચારીઓએ જરૂરી તકેદારી સાથે પાંચેય સિંહોને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો અને બાદમાં ટ્રેન વ્યવહાર પણ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દામનગર-લીલીયા વચ્ચે રેલવે ટ્રેક પર એક સિંહ આવી ચડતાં ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકી સિંહનો જીવ બચાવ્યો હતો. આમ સતત બીજા દિવસે આવી ઘટના સામે આવતા ગીર અને આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
એક સમયે ગીરનું ઘરેણું ગણાતા સિંહ હવે નિયમિત તળાજા પંથકના અલગ અલગ વિસ્તારમાં વિચરણ કરીરહ્યા છે. મેથળા મધુવન વિસ્તારમાં વર્ષોથી અલગ અલગ સિંહ ઘર બનાવી રહ્યાછે ત્યારે હવે અહીંની શેત્રુંજી નદીના તટે હાઇવે પરના શેત્રુંજી પુલ નજીક જ બે સાવજોએ લટાર મારવાની સાથે મારણ કર્યુંહતું. ગોરખી ગામની મનાતી આ જમીન પર સિંહ પ્રથમ વખત આવ્યા હોવાનું વાડી માલિક નું કહેવું છે.
ગીરના જંગલમાથી નીકળતી શેત્રુંજી નદી તળાજા ના સરતાનપર બંદર ના દરિયામા ભળેછે.આ નદીના તટે તટે સિંહ પરિવાર ગીરથી નીકળી હવે છેક તળાજા ની ભાગોળ સુધી પહોંચ્યો છે.પ્રથમ વખત એવું બન્યુંછેકે તળાજા નજીક નેશનલ હાઇવે પર બનેલ શેત્રુંજી નદીના પુલ ની સામે આવેલ વાડીમા બે સાવજ વિચરણ કરવાની સાથે અહીં મારણ પણ કરતાગયા હતા.
અહીંથી નેશનલ હાઇવે સામેજ દેખાયછે.આગામી સમયમા નેશનલ હાઇવે અથવાતો શેત્રુંજી પુલ ઉપર લટાર મારતા વનરાજ ના અચાનક દર્શન થઈશકેછે.

