Ahmedabad, તા.1
આઇપીએલની ફાઇનલમાં હારથી નિરાશ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને વધુ એક ખોફનાક ઘટનાક્રમનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પરત ફરતી ખેલાડીઓની બસમાં શોર્ટ સક્રિટથી આગ લાગી હતી. તમામ ખેલાડીઓ-રીપોર્ટ સ્ટાફને નીચે ઉતારી દેવાયા હતા અને સદ્નશીબે તમામ સુરક્ષિત હતા.
આ ઘટના વિશે પ્રાપ્ત વિગતો પ્રમાણે ફાઇનલ મેચમાં હારથી હતાશ ગુજરાત ટ્વીન્સની ટીમ હોટલમાં પરત જઇ રહી હતી ત્યારે બે બસમાં મુસાફરી કરતી હતી તેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
બસમાં ધુમાડા દેખાતા તૂર્ત જ બસને રસ્તા પર રોકી દેવામાં આવી હતી. બસમાં સવાર ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે નીચે ઉતારી મુકાયા હતા. સદ્નશીબે કોઇને ઇજા નહતી.
તમામ સુરક્ષિત હતા છતાં ભયનું મોજાુ ફરી વળ્યું હતું. આ દુર્ઘટનાને પગલે ખેલાડીઓને એકાદ કલાક સુધી રસ્તે રળઝવું પડ્યું હતું. ત્યારબાદ નવી વ્યવસ્થા હેઠળ હોટલ પર પરત પહોંચ્યા હતા.
આ અગાઉ પણ ટીમને પ્રવાસમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મુલ્લાપુરમાં મેચ જીત્યા બાદ ફાઇનલ રમવા 30મીએ અમદાવાદ પહોંચવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે વિલંબ થયો હતો અને ટીમ 30મીએ સાંજે અમદાવાદ પહોંચી શકી હતી.
સિરાજે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી
ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે.

