Mumbai,તા.16
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગેની અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે તે ઈજાને કારણે છેલ્લી ત્રણ મેચ રમી શક્યાં નથી. શાર્દુલએ આશા વ્યક્ત કરી કે હાર્દિક 20 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વાપસી કરી શકે છે.
શાર્દુલે કહ્યું, “હાર્દિક ઈજાગ્રસ્ત છે અને તેથી જ તે છેલ્લી કેટલીક મેચોમાં રમ્યો નથી. કમરના દુખાવાને કારણે તે લખનૌ અને બેંગલુરુ સામેની મેચો પણ ચૂકી ગયો. તે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને મને આશા છે કે તે કોલકાતામાં રમશે. તેના જેવા ખેલાડીઓ હંમેશા યાદ આવે છે.”
અફવાઓ વિશે શાર્દુલે કહ્યું, “સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે, કેટલીક સાચી, કેટલીક ખોટી. પરંતુ તેને ધર્મશાલા ન આવવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો.”
બીજી ઘટનામાં, MI ના બેટિંગ કોચ કિરોન પોલાર્ડને ચોથા અમ્પાયર પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને તેમની ચાલુ મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
કુલદીપ અને ગ્લીસન જોડાયા ચેન્નાઈ સુપર કિંગ્સે ખલીલ અહેમદના સ્થાને દિલ્હીના ડાબોડી ફાસ્ટ બોલર કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે. દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નુવાન તુષારાના સ્થાને ઈંગ્લેન્ડના રિચાર્ડ ગ્લીસનને આઈપીએલ ટીમમાં સામેલ કર્યો છે.ખલીલ અને તુષારા બંને ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયા હતા.
રચિન સ્વદેશ પરત
કોલકાતા KKR ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર IPL છોડીને ઘરે પરત ફર્યો છે અને ન્યૂઝીલેન્ડના આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોલકાતા ફ્રેન્ચાઇઝીએ GT સામેની તેમની ઘરેલુ મેચની પૂર્વસંધ્યાએ આ માહિતી આપી હતી. KKR એ કહ્યું, “રચન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડના આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ક્રિકેટ તૈયારીઓ શરૂ કરવા ઘરે પરત ફર્યો છે.”

