Bhuj,તા.૨૭
જામનગર જેટકોમાં ૩૫ એપ્રેન્ટિસની ભરતીમાં ૨-૨ લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ, હવે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કૌભાંડ સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય પ્રદેશોમાં પણ ફેલાઈ ગયું છે. ખાસ કરીને ગોંડલ અને કચ્છ વિભાગમાં તાજેતરમાં થયેલી ભરતીઓ તપાસના દાયરામાં આવી છે, જેના કારણે વરિષ્ઠ અધિકારીઓએ આંતરિક તપાસ વધુ તીવ્ર બનાવી છે.
જેમ જામનગરમાં એક સિનિયર આસિસ્ટન્ટે લાયક ઉમેદવારોને કાઢી નાખ્યા અને તેમના મનપસંદ ઉમેદવારોને ૨-૨ લાખ રૂપિયામાં ભરતી કર્યા, તેવી જ રીતે ગોંડલ અને કચ્છ જેટકોમાં પણ આ જ પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં પણ એપ્રેન્ટિસ ભરતી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતાનો ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં ફક્ત “ખાસ” નામોને જ મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર કૌભાંડની આશ્ચર્યજનક વાત એ છે કે તે ગુનાહિત કૃત્ય હોવા છતાં, ફોજદારી ફરિયાદ નોંધાવવા અથવા છઝ્રમ્ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે, આ મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે, આ નેટવર્ક સૌરાષ્ટ્રભરમાં ફેલાય તેવી શક્યતા વધુ મજબૂત બનતા, જેટકોના વરિષ્ઠ અધિકારીઓ પર દબાણ વધ્યું છે.
કચ્છ જેવા દૂરના વિસ્તારોમાં ભરતી કૌભાંડોના ભયે, જ્યાં દેખરેખ ઓછી છે, વહીવટીતંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં, જેટકોના ઉચ્ચ સ્તર પાસેથી ગોંડલ અને કચ્છમાંથી પરોક્ષ રીતે ભરતી રેકોર્ડ મંગાવવાની યોજના બનાવવામાં આવી છે. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણા ‘મોટા નામો’ અને એચઆર વિભાગના નિષ્ણાતોના નામ બહાર આવે તેવી શક્યતા છે.

