Jammu and Kashmir તા.28
અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ ગાંદરબાલ જિલ્લાના ગુંડના હરિગનીવાન વિસ્તારમાં `એસ’ વળાંક પાસે અનિયંત્રીત થઈને ખાઈમાં ખાબકતા ડઝનબંધ જેટલા યાત્રીઓ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે તરત બચાવદળને ઘટનાસ્થળે મોકલ્યું. ગુંડ પોલીસે સ્થાનિક લોકોની મદદથી યાત્રીઓને બસમાંથી સુરક્ષિત બહાર કાઢયા અને તેમને તાત્કાલીક પ્રાથમીક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અનેક યાત્રીઓની હાલત ગંભીર છે. બચાવ અભિયાનમાં આઈટીબીપીના જવાનોએ પણ ભાગ લીધો હતો.

