New Delhiતા.2
ગત સપ્તાહે જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજયસભાના સાંસદ સંદીપ પાઠક હવે પંજાબમાં તેમની સામે બે ફરિયાદો દાખલ થઈ છે તેમાં તેમની ધરપકડ કરવા આજે સવારે પંજાબ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી.
પરંતુ પાઠકને ઝડપે તે પુર્વે જ તેઓ ઘરેથી બહાર ફરાર થઈ ગયા હતા. હજુ 25 એપ્રિલે જ એક વખતના અરવિંદ કેજરીવાલના ખાસ વિશ્વાસુ અને ગુજરાત તથા પંજાબ ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર તથા ‘આપ’ના ચાણકય ગણાતા સંદીપ પાઠક એ પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આઈઆઈટી દિલ્હીની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલ સંદીપ પાઠક સામે પંજાબમાં ગેરજમાનતી ધારા હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે અને તેથી તેમની ધરપકડ કરવા પંજાબ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી. પરંતુ સંદીપ પાઠક તેમના હાથમાં આવ્યા ન હતા. આમ ‘આપ’માં હવે નવી આંતરિક લડાઈ શરુ થઈ છે અને એક વખતના કેજરીવાલના સાથીદાર જ હવે ધરપકડથી બચવા પ્રયત્ન કરી રહ્યા છે.

