Rajkot તા.૯
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), રાજકોટ દ્વારા વિવિધ વિભાગોમાં કાર્યરત ૧૭ રેલવે કર્મચારીઓને રેલવેમાં તેમની સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ યાદી મુજબ, ઠછઠઠઘ ના પ્રમુખ શ્રીમતી મુકેશી મીનાએ કર્મચારીઓને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ઠછઠઠઘ ના સેક્રેટરી શ્રીમતી એકતા જૈન અને શ્રીમતી શોભા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી મુકેશી મીનાએ સન્માનિત કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા રેલવેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને નિવૃત્તિ પ્રક્રિયા અને નિવૃત્તિ બાદ મળતા લાભો વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

