Rajkot,તા.05
ગોંડલના મોવિયા ગામની કિંમતી જમીન પડાવી લેવાના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ખોલી મુખ્ય સૂત્રધાર રાજકોટના ઉતમસિંહ મહિલા વકીલ સહિત ચાર શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપીઓએ મુળ ખેડૂત ખાતેદાર કાન્તીલાલ નંદલાલ પાઠક તથા મધુબેન કાન્તીલાલ પાઠક (રહે.બન્ને નવા વાઘણીયા,બગસરા) ના બોગસ આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ બનાવી, જે આધારે કો-ઓપરેટીંગ બેંક ગોંડલ ખાતે બેંક એકાઉન્ટ ખોલાવી, મોવીયા ગામે સર્વે નં.૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન હે.આર.ચો.મી. ૧-૮૪.૦૬ વાળી આવેલ હોય જેમાં આરોપી ઉત્તમસિંહ રાઠોડ, ભાવનાબેન ચાવડા, તુષાર નરોત્તમદાસ દુદાણી, વિપુલગીરી ગોસ્વામી, અજાણ્યો પુરૂષ તથા મહીલાએ સાથે મળી મુળ માલીક કાન્તીભાઈ પાઠક તથા મધુબેન પાઠક બની રજીસ્ટાર રૂબરૂ ખોટી ઓળખ આપી, ખોટી સહીઓ કરી કિંમતી બનાવટી બોગસ વેચાણ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.રાજકોટનો ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ વિવાદીત જમીન વેચાણ કરી આર્થીક લાભ મેળવતો હોય વર્ષ ૨૦૨૨ માં માંડણકુંડલા ગામે કાન્તીલાલ પાઠકની જમીન આવેલ જેનો કોર્ટમાં કેસ ચાલતો હોય જેમાં વચ્ચે પડી કેસ પોતે હેન્ડલ કરી કેસ જીતી આર્થીક લાભ મેળવેલ હતો, આરોપી વિપુલગીરી ગોસ્વામી પોતાના સંપર્કમાં આવતા મિત્ર થયેલ અને વિવાદીત/કબ્જાવાળી જમીન બાબતે તપાસ કરતા હોય ત્યારે મોવીયા ગામની સર્વે નં.૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન કાંતીલાલ પાઠક તથા મધુબેન પાઠકના નામે હોવાની હકીકત જાણવા મળેલ જે જમીન જીતેન્દ્રભાઇ મહેતાની હોય પરંતુ પોતે ખેડુત ખાતેદાર ન હોવાથી જમીન ખરીદી કરી શકતા ન હતાં. મોવીયા ગામે ખેતીની જમીનમાં કબ્જો રમેશભાઇ કોળી પાસે હોય જેથી ઉત્તમસિંહ રાઠોડ તથા વિપુલગીરી ગૌસ્વામી બન્નેને જમીનમાં રસ પડતા બન્ને આરોપીઓ કાન્તીલાલ પાઠકના ઘરે જઇ જમીનના વેચાણ બાબતે વાતચીત કરતા પોતાની જમીન ન હોય અને પોતાના સાઢુભાઇ જીતેન્દ્રભાઈ મહેતાની હોવાનું અને અમેરીકા હોવાની જાણકારી મળતા બન્ને આરોપીઓએ મોવીયાની ખેતીની જમીનનુ ખોટુ રેકર્ડ બનાવી વેચાણ કરવાનું નક્કી કરી, ભાવનાબેન ચાવડાને મળી મુળ ખેડૂતના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કામ ઉતમસિંહ રાઠોડએ, જયારે ડમી વ્યકતીઓ શોધવાનુ કામ ભાવનાબેન ચાવડાએ જવાબદારી લીધેલ જેમા ઉતમસિંહ રાઠોડએ પોતાના મિત્ર અજયભાઈ ગઢીયા દ્વારા મુળ ખાતેદાર કાન્તીલાલ પાઠક તથા મધુબેન પાઠકના ચુંટણીકાર્ડ મેળવી, મામલતદાર કચેરીએ અરજી દ્વારા મોવીયા ગામની જમીનના રેકર્ડ તથા આધારકાર્ડની નકલો મેળવી હતી. આરોપી વિપુલગીરી ગોસ્વામીને બોગસ ડોક્યુમેન્ટ આધારે કો-ઓપરેટીવ બેંકમાં ખાતુ ખોલાવી, આ કામે આરોપી ભાવનાબેન રાઠોડે પોતાના અસીલ ગીતાબેન કાપડીને મધુબેન પાઠક બનવા તૈયાર કરાવડાવી, તેના બદલામાં દસ્તાવેજ દીઠ રૂ.૧.૨૫ લાખ આપવાનું નક્કી કરી, આરોપી ભાવનાબેનએ સહઆરોપી ગોવિંદરામ કાપડી સાથે વાતચીત કરી, એક ડમી વ્યકતી શોધવા જણાવતા ગોવિંદરામે પોતાના આશ્રમમાં કામ કરતા દિનેશભાઇ કનૈયાલાલ નિમાવતને તૈયાર કરી, આરોપી ઉતમસિંહ રાઠોડ સાથે મુલાકાત કરાવતા એક દસ્તાવેજ દીઠ રૂ. ૧.૨૫ લાખ આપવાનું નક્કી કરવામાં આવેલ અને સાક્ષી તરીકે વિપુલગીરી ગૌસ્વામીએ જવાબદારી લેતા તેઓએ તેમના મિત્ર તુષારભાઈ નરોતમભાઇ દુદાણીને તૈયાર કરી એક દસ્તાવેજ દીઠ રૂ.૨૫૦૦ આપવાનું નક્કી થયેલ હતું.
જમીન ખરીદનારની તલાસમાં હોય તે દરમ્યાન રાજકોટના સંજયભાઈ નાથાભાઇ ખોડેખા મળતા તેમની સાથે બે એકર રૂ. ૫૩ લાખમાં જમીનનો સોદો કરી, બોગસ, બનાવટી ઓળખકાર્ડ આધારે ડમી વ્યકતીઓ મુળ ખાતેદાર હોવાની ઓળખ કરાવી વેચાણ દસ્તાવેજ કરી રૂ. ૩.૭૫ લાખ બેંક પેમેન્ટ કરી, તથા રોકડા રૂ.૪૫.૫૦ લાખ આપી વેચાણ દસ્તાવજે કરી આપેલ હતો.
ત્યારબાદ ગોંડલના પીયુષભાઇ કરમશીભાઇ રાતડીયાને મળી મોવીયા ગામની જમીન પૈકી બે એકર જમીનનો રૂ. ૪૦ લાખમાં સોદો કરી રૂ.૭.૫૦ લાખ બેંક ખાતામાં તથા રૂ. ૨૨.૨૫ લાખ રોકડા આપી બાકીની રકમ એન્ટ્રી થઇએ આપવાનું નકી કરી જમીનનો વેચાણ દસ્તાવેજ આરોપીઓએ કરી આપી, બાકીની જમીન ૨૪ ગુઠા રહેલ હોય તેનો વેચાણ દસ્તાવેજ રાજકોટના ઓમભાઇ યોગેશભાઇ પરમારના નામે કરવામાં આવેલ પરંતુ એક એકર ન હોવાથી એન્ટ્રી નહી થતા જે વેચાણ દસ્તાવેજ રદ કરી જે જમીન ૨૪ ગુઠા ફરીથી શરતચુક વેચાણ દસ્તાવેજ પીયુષભાઇ રાતડીયાને કરી આપી જે જમીનના રૂ. ૨.૨૫ લાખનો ચેક આપી, વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેવાના રૂ. ૨૫૦૦ તથા આરોપી વિપુલગીરી તથા ભાવનાબેનને પાંચ ટકા ભાગ તેમજ ડમી વ્યકતી દિનેશભાઇ કનૈયાલાલ નિમાવત અને ગીતાબેન કાપડીને દરેક વેચાણ દસ્તાવેજ દીઠ રૂ.૧.૨૫ લાખ આપવામાં આવેલ છે.ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ (,રાજકોટ મુળ ગામ,કરશનગઢ, મેંદરડા), વિપુલગીરી ઉર્ફે ગીરીબાપુ ગણેશગીરી ગોસ્વામી મોવીયાગામ, ,મૂળ રહે. સુરેન્દ્રનગર), ભાવનાબેન ખીમજી ચાવડા વકીલાત રહે.મુળ ગામ-દેરડી, ગોંડલ),તુષારભાઈ નરોતમ દુદાણી (મોવીયા)ની ધરપકડ કરી હતી.જ્યારે દિનેશ કનૈયાલાલ નિમાવત (રહે ધોરાજી ), ગીતાબેન દીપક કાપડી (રહે.ગોંડલ ), નિશાંત રામ ભેટારીયા (રહે. ઉપલેટા, હાલ રહે. રાજકોટ ), ગોવિંદરામ દોલતરામ કાપડી (રહે ગોંડલ )ની શોધખોળ હાથ ધરી છે
