Mumbai,તા.૨૩
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન વચ્ચે, શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ૨૬ જુલાઈએ મુંબઈમાં સંયુક્ત વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની નારાજગી સરકાર સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે.
મુંબઈમાં આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓ સાથે ક્રૂર વર્તન કરી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોઈથી ડરતા નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે જોરશોરથી અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું કે વિદ્યાર્થી આંદોલન હવે એટલું વ્યાપક બની ગયું છે કે સરકારને પાછળ હટવાની ફરજ પડી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓને અવગણી શકે નહીં.
રાજ ઠાકરેએ ચેતવણી પણ આપી હતી કે ૨૬ જુલાઈએ મુંબઈમાં યોજાનાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, “જેઓ અમારા શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે છે તેમને બક્ષવામાં આવશે નહીં.” બંને નેતાઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી.
નોંધનીય છે કે મે ૨૦૨૬ માં, વિદ્યાર્થીઓએ પેપર લીક થવાના કારણે નીટ પરીક્ષા રદ કરવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ, ૨૦ જૂને જંતર-મંતર ખાતે સીજેપીનો વિરોધ શરૂ થયો. ૨૮ જૂને સોનમ વાંગચુક પણ તેમાં જોડાયા.સીજેપીએ ૨૦ જુલાઈએ સંસદ માર્ચનું નેતૃત્વ કર્યું હતું, જે દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ગુરુવારે, વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીકના તમામ કેસોમાં ગુનેગારોને ઝડપી અને કડક સજા મળે તે માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

