Bhavnagar, તા.18
તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર ગઇકાલે કોર્ટ શરૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ બહાર તળાજા ના પ્રો.હી ઉપરાંત અન્ય કેસો પણ નોંધાયેલ હોય તેવા કુખ્યાત ઇસમે છરી વડે હુમલો કર્યો હતો. પેટ(પડખા)ના ભાગે ત્રણ ચાર લસરકા પાડ્યા હતા.બનાવ ને લઈ વકીલ મંડળ ના પ્રમુખ સભ્યો ઇજાગ્રસ્ત વકીલ ને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.પોલીસ અધિકારીઓ હોસ્પિટલ આવતા કડક પગલાંની ખાત્રી આપી હતી.
તળાજા ના એડવોકેટ પ્રવિણભાઈ ખીમજીભાઈ સોસા પરકોર્ટ બહાર રોડપર હુમલો થતા વકીલ મંડળ મા ખળભળાટ મચીગયો હતો. ઘટનાના પગલે બાર.એસો.ના પ્રમુખ હાર્દિકભાઈ ઓઝા સહિત સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા.જોકે આ હુમલો વકીલ અને અસીલ ની નહિ પરંતુ અંગત અને જૂની અદાવત ને કારણે થયો હોવાનું ઇજાગ્રસ્ત પ્રવિણભાઈ એ જણાવ્યું હતુ.
હોસ્પિટલના બિછાને થી વિગત આપતા ઉમેર્યું હતું કે કોર્ટની બહાર વાહન લઈ નીકળતા હતા એ સમયે રોડપર આરોપી કિશોર મીઠાભાઈ રાઠોડ મળ્યો હતો.આરોપી એ વકીલને શુકામ સામુજુએ છે તેમ પૂછતાં વકીલ એ હું સામું નથી જોતો તેમ કહેતા આરોપી એ હુમલો કર્યો હતો.શર્ટફાડી છરી કાઢી ડાબા પડખે ઇજા કરી હતી.
બનાવ ના પગલે પો.ઇ વી.આર.ચાવડા, પો.સ.ઇ ડી.પી. ખાંભલા,પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્ત તથા બાર.એસો.ના સભ્યો ને કડક અને ઝડપી કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી.આરોપી ની અટકાયત કરવામા આવી હતી.
પ્રવિણ સોસા
ઇજાગ્રસ્ત એડવોકેટ પ્રવિણભાઈ સોસા એ આરોપી કિશોર રાઠોડના ત્રાસથી મારાભાઈએ આત્મહત્યા કરી છે. તે બાબત નો ગુન્હો પણ નોંધાયો છે.એ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકીઓ આપતો હતો. DSP સુધી રજુઆત કરી છે.દારૂ વેચતો હોય પોલીસ ને સતત જાણકરી છે.દારૂ સહિતના અન્ય કેસો પણ છે.
પાસા કરવાની માગ
બનાવ ના પગલે રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ પો.ઇ વી.આર.ચાવડા ને વકીલ મંડળ દ્વારા આ ઈસમ વિરુદ્ધ અનેક કેસ હોય પાસા કરવા રજુઆત કરી હતી.

