Bengaluru,તા.02
દેશમાં અત્યંત ગંભીર મામલાના અપરાધીઓ પણ કાનુની છટકબારી તથા પોલીસ તપાસમાં કમજોર કડીના કારણે ‘બા-ઈજજત’ બરી થાય છે અથવા જામીન મેળવી જાય છે અને અનેક વખત ઓછી હળવી સજાનો લાભ મેળવી જાય છે તેની સામે કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયમૂર્તિએ હવે દેશમાં તાલીબાની સજાની ખુલ્લી તરફેણ કરતા વિવાદ સર્જાશે તે નિશ્ર્ચિત છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આર.નટરાજને દુષ્કર્મ કેસના એક 23 વર્ષના આરોપીની જામીન અરજી રદ કરતા જે વિધાનો કર્યા તે ચોંકાવનારા છે.
તેઓએ જણાવ્યું કે હાલના કાનૂન અપરાધીને આકરી સજા આપવામાં પુરતા સાબીત થયા નથી અને સજાની અસર નબળી પડી રહી છે. તેઓએ કહ્યું કે હાલના કાનૂન અપરાધીઓ પર ધાક બેસાડવામાં પણ પુરતા સાબીત થયા નથી તથા લોકશાહી સીસ્ટમમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકારોના લાભ મેળવી જાય છે. તેઓએ જણાવ્યું કે કાનૂન તેના દાંત ગુમાવી દીધા છે.
તેથી જ અહી અપરાધ કરવો એ મધ્યપુર્વ (ગલ્ફ) કરતા સરળ બની ગયુ છે. જો તમો હાથ કે પગ કાપો તો લોકો પછી કાનનનું પાલન કરવાનું સમજતા થશે. કારણ કે આપણે લોકશાહી છે તેવી દરેક કાયદાને ગ્રાન્ટેડ- (કોઈ ચિંતા નહી) લે છે. તેઓએ જણાવ્યું કે લોકો અપરાધ કોઈ ભય વગર આચરી રહ્યા છે. જજના આ વિધાનો પર હવે ચર્ચા-વિવાદ છેડાશે તે નિશ્ચિત છે.
હાઈકોર્ટે આ 23 વર્ષના દુષ્કર્મના આરોપીની જામીન અરજી પર રાજય સરકારને નોટીસ પાઠવી હતી. આ કેસમાં બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની દલીલ હતી કે તેમના અસીલે કોઈ અપરાધ કર્યો નથી છતાં બે માસથી જેલમાં છે. 23 વર્ષના આ વિદ્યાર્થી જે મનીપાલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસ કરે છે. તેના પર તેમના એક સહવિદ્યાર્થીની પર જાતીય બળજબરીનો આરોપ છે. આ બન્ને પહેલા રીલેશનમાં હતા પણ બાદમાં વિવાદ સર્જાતા અલગ પડયા હતા.

