New Delhiતા.18
દિલ્હીના સૌથી પોશ અને વીઆઈપી વિસ્તારમાં ગણાતા લુટિયન્સમાં એક મોટો પ્રોપર્ટી સોદો થયો છે. એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાએ રાજધાનીના ભગવાનદાસ રોડ પર આવેલો પોતાનો બંગલો વેચવાનો નિર્ણય કર્યો છે.
સુભાષચંદ્રાએ પોતાનો આ બંગલો દિલ્હીના એક બિઝનેસ પરિવારને રૂા.1260 કરોડમાં વેચવા પર સહમતી દર્શાવી છે. આ ડીલ સાથે સંકળાયેલા લોકોના અનુસાર આ ભારતની સૌથી મોંઘી રેસીડેન્સીયલ રિયલ એસ્ટેટ ટ્રાન્જેકશનો માની એક છે.
ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્રાએ આ 2.8 એકરની રેસીડેન્સીયલ પ્રોપર્ટી વર્ષ 2015માં રૂા.304 કરોડમાં ખરીદી હતી. હવે લગભગ એક દાયકા બાદ તેની કિંમત વધીને રૂા.1260 કરોડ પહોંચી ગઈ છે એટલે કે 90 વર્ષમાં પ્રોપર્ટીની વેલ્યુ ચાર ગણીથી વધુની થઈ ચુકી છે.
આ પ્રોપર્ટી લુટિયન્સ બંગલો ઝોનમાં છે જે રાજધાનીનો સૌથી પ્રતિષ્ઠિત અને સખ્ત નિયમો વાળો રહેઠાણ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં વરિષ્ઠ સરકારી અધિકારી, જજ, રાજનીતિક અને વેપારીઓનો પરિવાર રહે છે.
સીમીત સપ્લાય અને કડક ડેવલપમેન્ટ નિયમોના કારણે અહીં જમીનની કિંમત સતત ઉંચા સ્તરે રહે છે. રૂા.1260 કરોડની આ પ્રોપટી ડીલ દિલ્હીના હાઉસીંગ માર્કેટમાં એક નવો બેન્ચ માર્ક સ્થાપિત કરી શકે છે.

