Rajkot તા.૨૨
રાજકોટ। પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાંચ રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર () શ્રી ગિરીરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિગ્નલ વિભાગ અને ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૬ દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા, જાગરૂકતા અને જવાબદારીનો પરિચય આપીને સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સન્માનિત કર્મચારીઓમાં શ્રી નવીન કુમાર (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), શ્રી સુનીલ કુમાર સિંહ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), શ્રી દિલીપ ગોહિલ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા), શ્રી દ્વારિકા પ્રસાદ (લોકો પાયલટ/ગુડ્સ, હાપા) અને શ્રી કાનાભાઈ પી. એમસીએફ (સિગ્નલ), હેડક્વાર્ટર-રાજકોટનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન અસાધારણ સતર્કતા દાખવીને કેટલીક મહત્વપૂર્ણ તકનીકી ામીઓ સમયસર શોધી કાઢી હતી. માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલા ટીઆરડી ના -બોન્ડ ને હટાવીને ફરી તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ટ્રેક સર્કિટને સામાન્ય કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓએ આરપીએફ અને ટીઆરડી કંટ્રોલ સાથે સંકલન સાધીને ઘટના સ્થળનું દસ્તાવેજીકરણ (ડોક્યુમેન્ટેશન) કરાવ્યું હતું અને રેલ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે સેફ્ટીપૂર્વક ખુલ્લો કરાવ્યો હતો. આ કર્મચારીઓની સતર્કતા અને ઝડપી કામગીરી રેલવે સેફ્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

