બજેટમાં નીતીશ કુમારનું બિહાર અને ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશ છવાયેલું રહ્યું છે
New Delhi, તા.૨૩
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આવી ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ કર્યું હતું. બજેટની શરૂઆત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે લોકોએ મોદી સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બજેટમાં નીતીશ કુમારનું બિહાર અને ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશ છવાયેલું રહ્યું છે. બંને રાજ્યોને ઘણી ભેટ મળી છે. બિહારમાં ૪૦ હજાર કરોડ રૂપિયા તો આંધ્રમાં ૧૫ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે.
આ વખતે બજેટમાં નોકરીઓ અને સ્કિલ ડેવલોપમેન્ટ પર પણ ફોક્સ રહ્યો છે. સરકારે નોકરીઓ વધારવા માટે કંપનીઓને ઈન્સેન્ટિવ આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય એક કરોડ ગરીબ પરિવારોને ઘર આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. નવી ટેક્સ રિજિમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂની ટેક્સ રિજિમમાં કઈં જ ફેરફાર થયો નથી.
કોને-કોને શું મળ્યું આજે ?
ખેડૂતઃ નેચરલ ફાર્મિંગ પર જોર આપવામાં આવ્યું છે. બે વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગમાં મદદ કરવામાં આવશે. ૩૨ પાકોની ૧૦૯ જાતો લાવવામાં આવશે. પાકોનો ડિજિટલ સર્વે થશે. ૬ કરોડ ખેડૂતો અને તેમની જમીનોને રજિસ્ટ્રીમાં નોંધાવવામાં આવશે. ૨૦૨૪-૨૫માં કૃષિ અને તેની સાથે જોડાયેલા સેક્ટર માટે ૧.૫૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નોકરીઓઃ રોજગાર માટે ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ જોબમાં ૧ લાખ રૂપિયાથી ઓછી સેલેરી હોવા પર ઈપીએફઓમાં પ્રથમ વખત રજિસ્ટર કરનારને ૧૫ હજાર રૂપિયાની મદદ સરકાર કરશે. તેનાથી ૨.૧૦ કરોડ યુવાઓને ફાયદો થશે. રોજગાર આપવા પર સરકાર ઈન્સેન્ટિવ આપશે. ૧ લાખ રૂપિયાથી ઓછી સેલેરીવાળા કર્મચારીઓ રાખવા પર સરકાર નિમણૂંક કરનાર એમ્પ્લોયરના ઈઁર્હ્લં અંશદાનમાં દર મહિને ૩ હજાર રૂપિયા આપશે.
શિક્ષણઃ મોડલ સ્કિલ લોન સ્કીમને સંશોધિત કરવામાં આવશે. જેનાથી ૭.૫ લાખ સુધીની લોન મળશે. સમગ્ર હાયર એજ્યુકેશન માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન મળશે. લોન પર ૩ ટકાનું વ્યાજ સરકાર આપશે. લોન પર ૩ ટકાનું વ્યાજ સરકાર આપશે. તેના માટે ઈ-વાઉચર્સ આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે.
મહિલાઓઃ મહિલાઓ અને બાળકોને લાભ પહોંચાડનારી યોજનાઓ માટે ૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. હોસ્ટેલ અને ક્રેચની સુવિધાઓથી વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે.
બિહારઃ ૨૬ હજાર કરોડના ખર્ચથી પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે. બક્સરમાં ગંગા-નદી પર ૨ લેન વાળો નવો પુલ બનશે. ૨૧,૪૦૦ કરોડના ખર્ચથી વિદ્યુત પરિયોજનાઓ શરૂ થશે. પુરથી બચવા માટે ૧૧,૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. નવું એરપોર્ટ, મેડિકલ અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટ શરૂ થશે.
આંધ્રપ્રદેશઃ ૧૫ હજાર કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ મળશે. પોલાવરમ સિંચાઈ પરિયોજનાને ઝડપથી પૂરી કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઈકોનોમિક કોરિડોરમાં કોપ્પાથી ક્ષેત્ર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈકોનોમિક કોરિડોરમાં ઓરવાકલ ક્ષેત્રમાં પાણી, વીજળી, રેલવે અને રસ્તાઓ માટે ફન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉદ્યોગઃ મુદ્રા યોજના અંતર્ગત લોનની સીમા ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. ખરીદનારાઓને ટ્રેડર્સ પ્લેટફોર્મમાં સામેલ કરવા માટે કારોબારની સીમા ૫૦૦ કરોડથી ઘટાડીને ૨૫૦ કરોડ કરવામાં આવી છે. એમએસએમઈ સેક્ટરમાં ૫૦ મલ્ટી-પ્રોડક્ટ ફૂડ ઈરેડિએશન યુનિટ સ્થાપિત કરવા માટે નાણાંકીય સહાયતા આપવામાં આવશે. સ્જીસ્ઈ તેના ઉત્પાદનોને ઈન્ટરનેશનલ બજારોમાં વેચી શકે તેના માટે ઁઁઁ મોડમાં ઈ-કોમર્સ એક્સપોર્ટ હબ તૈયાર કરવામાં આવશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ અમૃતસર-કોલકાતા ઈકોનોમિક કોરિડોર પર ગયામાં ઔદ્યોગિક કેન્દ્રનો વિકાસ થશે. પીએમ ગ્રામ સડક યોજનાનો ફેઝ-૪ શરૂ થશે, જેના અંતર્ગત ૨૫ હજાર ગ્રામીણ વસવાટોમાં રસ્તાઓ બનાવવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૧,૧૧,૧૧૧ કરોડ રૂપિયા ખર્ચ થશે.
યુવાઃ ટોપ ૫૦૦ કંપનીઓમાં આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ યુવાઓને ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત યુવાઓને ૧૨ મહિનાની ઈન્ટર્નશીપમાં ૫ હજાર રૂપિયાનું દર મહિને ભત્તુ અને ૬ હજાર રૂપિયાની સહાય કરાશે.
પોતાનું ઘરઃ પીએમ આવાસ યોજના-અર્બન ૨.૦ અંતર્ગત ૧ કરોડ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર મળશે. તેના માટે ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સસ્તા વ્યાજ દરે લોન મળે, તેના માટે વ્યાજ સબસિડી પણ શરૂ થશે.
પર્યટનઃ ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધગયામાં મહાબોધિ મંદિરને વિશ્વસ્તરીય તીર્થ સ્થળના રૂપમાં વિકસિત કરવા માટે સહાયતા કરવામાં આવશે. નાલંદાને પર્યટન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે. ઓડિાને ટુરિસ્ટ સ્પોટ બનાવવા માટે સહાયતા કરવામાં આવશે.
હેલ્થઃ કેન્સરની બીજી ત્રણ દવાઓને કસ્ટમ ડયુટી ફ્રી કરવામાં આવી છે. તેનાથી દવાઓ સસ્તી થશે. એક્સરે મશીન બનાવવામાં ઉપયોગમાં લેવાતી એક્સ-રે-ટયુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટરો પર પણ કસ્ટમની ડ્યુટી ઘટાડવામાં આવી છે.
ઈલેક્ટ્રોનિક્સઃ મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પર લાગતી બેસિક કસ્ટમ ડ્યુટીને ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવી છે. કેટલાક દૂરસંચાર ઉપકરણોની આયાત મોંઘી થશે.
ઈન્કમ ટેક્સઃ નવી ટેક્સ રિજિમમાં ૩ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. ૩થી ૭ લાખ પર ૫ ટકા, ૭થી ૧૦ લાખ પર ૧૦ ટકા, ૧૦થી ૧૨ લાખ પર ૧૫ ટકા, ૧૨થી ૧૫ લાખ પર ૨૦ ટકા ટેક્સ લાગશે. ૧૫ લાખથી વધુ વાર્ષિક આવકની કમાણી પર ૩૦ ટકા ટેક્સ. સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ ૫૦ હજારથી વધારીને ૭૫ હજાર કરવામાં આવી છે.
કોર્પોરેટ ટેક્સઃ ઈ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસના દરોને ૧ ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સના દર ૪૦ ટકાથી ઘટાડીને ૩૫ ટકા કરવામાં આવ્યા છે.
કેટલો ખર્ચ કરશે સરકાર ?
કેન્દ્ર સરકાર ૨૦૨૪-૨૫માં ૪૮ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે. રક્ષા મંત્રાલયને ૬.૨૧ કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપવામાં આવ્યું છે. તેમાંથી હથિયારોની ખરીદી પર ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.સરકારને સૌથી વધુ કમાણી ઈન્કમ ટેક્સ અને જીએસટીથી થશે. ઈન્કમ ટેક્સથી ૧૯ ટકા અને જીએસટીથી ૧૮ ટકાની આવક થશે. ખર્ચ માટે સરકાર ૨૭ ટકા પૈસા ઉધાર લેશે. સૌથી વધુ ૨૧ ટકા પૈસા રાજ્યોને ટેક્સનો હિસ્સો આપવા અને ૧૬ ટકા કેન્દ્રની યોજનાઓ પર ખર્ચ થશે. જ્યારે લોન પર વ્યાજ ચુકવવામાં ૧૯ ટકા રકમ ખર્ચ થશે.