Maharashtra,તા.8
“કોઈ તાકાત કલમ 370ને પરત નહીં લાવી શકે.” આજે મહારાષ્ટ્રના ધૂલે ખાતે ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ ઉપરોકત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેવો કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો.
તેમણે કાશ્મીર વિરુદ્ધ પોતાના કાવતરા શરૂ કરી દીધા. બે દિવસ પહેલા તેમણે કલમ 370ને ફરી બહાલ કરવા માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, શું દેશ આ પ્રસ્તાવનો સ્વીકાર કરશે? પીએમે હુંકાર કર્યો હતો કે કોઈપણ તાકાત 370ને પરત નહીં લાવી શકે.
ધૂલે અને નાસિકમાં જનસભાને સંબોધન દરમિયાન વડાપ્રધાને મહાવિકાસ અઘાડી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મહાવિકાસ અઘાડીની ગાડીમાં ના તો પૈડા છે કે ના તો બ્રેક છે અને ડ્રાઈવરની સીટ પર બેસવા માટે ઝઘડો થઈ રહ્યો છે. ચારે બાજુથી અલગ અલગ હોર્ન સંભળાઈ રહ્યા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિકસીત મહારાષ્ટ્ર અને વિકસીત ભારત માટે આપણી મહિલાઓને સશક્ત બનાવવા અને તેમના જીવનને સરળ બનાવવું ઘણું મહત્વનું છે. જયારે મહિલાઓ આગળ વધે છે તો સમાજ પણ ઝડપથી પ્રગતિ કરે છે.
કોંગ્રેસના ઈરાદા ખતરનાક: મોદીએ પોતાના સંબોધનમાં અનામતનો મુદો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીના સમયે બાબા સાહેબ દલિતો અને વંચિતો માટે અનામત ઈચ્છતા હતા. પરંતુ નહેરુજી એ વાત પર અડગ હતા કે દલિતો, પછાતો અને વંચિતોને અનામત ન આપવામાં આવે. ખૂબ મુશ્કેલીએ બાબાસાહેબ દલિતો અને આદિવાસીઓ માટે અનામતની જોગવાઈ કરી શકયા હતા.
કોંગ્રેસ ઈચ્છે છે ઓબીસી અલગ જાતિઓમાં વહેંચાયેલા રહે: વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ઓબીસી અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલી રહે જેથી તેમની તાકાત ઓછી જ રહે. કોંગ્રેસ ઓબીસી, એસટી, એસસીને નાની-નાની જાતિઓમાં વહેંચવા માંગે છે.
શિંદે સરકારની કરી પ્રશંસા: વડાપ્રધાને મહારાષ્ટ્રની શિંદે સરકારના વખાણ કરતા કહ્યું હતું કે સીએમ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રને ગૌરવ પાછું મળ્યું છે. તેમની લાડલી બહેન યોજનાની પુરા દેશમાં ચર્ચા થઈ રહી છે.
પીએમ મોદીએ ‘માલ’ જેવી અશ્લીલ ભાષાના ઉપયોગ પર એમવીએ નેતાઓની ટીકા કરી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેના નેતા શાઇના એનસી પ્રત્યે અરવિંદ સાવંત દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી વચ્ચે મહિલાઓ વિશે કથિત અપમાનજનક ટિપ્પણીઓ પર મહા વિકાસ અઘાડી ગઠબંધન નેતાઓ પર આકરા પ્રહારો કર્યા.
મહારાષ્ટ્રનાં ધુલેમાં એક ઝુંબેશ રેલીને સંબોધતાં, વડા પ્રધાને વિપક્ષી નેતાઓ પર મહિલાઓનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો, ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર મહારાષ્ટ્રમાં માતાઓ અને બહેનો માટે આવાં વર્તનને માફ કરાશે નહીં.
મોદીએ કહ્યું કે “મહા વિકાસ અઘાડીના આ સભ્યોથી મહારાષ્ટ્રની દરેક મહિલાએ સાવધ રહેવું જોઈએ. તેઓ મહિલા સશક્તિકરણને જોઈ શકતાં નથી. આખું મહારાષ્ટ્ર સાક્ષી છે કે કોંગ્રેસ અને આ ગઠબંધનના લોકોએ કેવી રીતે મહિલાઓનું અપમાન કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે કેવી અશ્લીલ ભાષા ? મહિલાઓને બદનામ કરવા માટે કેવાં પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવે છે ?” “મહારાષ્ટ્રમાં કોઈ પણ માતા કે બહેન ગઠબંધનના સભ્યોની આ ક્રિયાઓને ક્યારેય માફ કરી શકશે નહીં.
પીએમ મોદી કહ્યું કે મહા વિકાસ અઘાડી પાર્ટીમાં દરેક વ્યક્તિ સીએમ બનવા ઝગડી રહ્યાં
મહારાષ્ટ્ર : ધુલેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમનાં પ્રચાર પ્રસાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એમવીએની અંદરના નેતાઓ બધાં “સીએમ બનવા માટે સ્પર્ધા કરી રહ્યાં છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો એમવીએ સત્તામાં આવશે તો ’માઝી લડકી બહિન’ યોજના બંધ કરશે.
મોદીએ કહ્યું કે “જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈપણ માંગ્યું છે, ત્યારે ત્યાંનાં લોકોએ મને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યાં છે,” મોદીએ કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન એ એકમાત્ર ગઠબંધન છે જે મહારાષ્ટ્રનાં વિકાસને આગળ ધપાવવા સક્ષમ છે. તેમણે છેલ્લાં અઢી વર્ષમાં હાંસલ કરેલી પ્રગતિને જાળવી રાખવાનું વચન આપ્યું હતું.
ધુલે રેલીમાં તેમનાં સંબોધન દરમિયાન, પીએમ મોદીએ વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રને ખીલવા માટે જે સ્થિરતા અને સુશાસનની જરૂર છે તે માત્ર ભાજપની આગેવાનીવાળી સરકાર જ પ્રદાન કરી શકે છે.