કોંગ્રેસ પાર્ટી ૭૫ વર્ષથી રામ મંદિરને લટકાવી રહી હતી, રાહુલ ગાંધી અયોધ્યા નથી ગયા : અમિત શાહ
Mumbai, તા.૮
જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન વધી રહ્યું છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીના મ્ત્નઁ પર કરેલા હુમલા બાદ હવે અમિત શાહે જવાબ આપ્યો છે. અમિત શાહે શુક્રવારે (૮ નવેમ્બર ૨૦૨૪) રાહુલ ગાંધી, કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો. સાંગલીમાં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “હું સ્ફછ વાળાને પૂછવા આવ્યો છું કે ઔરંગાબાદનું નામ સંભાજી નગર હોવું જોઈએ કે નહીં?”
અમિત શાહે તેમના ભાષણમાં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે થયેલા હંગામાનો ઉલ્લેખ કરતા કહ્યું કે શરદ પવાર અને કોંગ્રેસવાળા કલમ ૩૭૦નું સમર્થન કરે છે. હું આ લોકોને સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે તમારી ચાર પેઢીઓ પણ આવશે તો પણ આર્ટિકલ ૩૭૦ પાછું નહીં આવે.
અમિત શાહ અહીં જ અટક્યા નહીં. તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ૭૫ વર્ષથી રામ મંદિરને લટકાવી રહી હતી. રાહુલ ગાંધી અયોધ્યા નથી ગયા, તેમને વોટ બેંકનો ડર લાગે છે. અમે મ્ત્નઁ વાળા વોટ બેંકથી નથી ડરતા.
અમે કાશી વિશ્વનાથનો કોરિડોર પણ બનાવ્યો, સોમનાથનું મંદિર પણ સોનાનું બની રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે અહીં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે, તેને રોકવાનો એકમાત્ર રસ્તો મ્ત્નઁ ની સરકાર છે, મહાયુતિની સરકાર છે. સતારાના કરાડમાં અમિત શાહે કહ્યું કે આખા દેશને શિવાજી મહારાજ પર ગર્વ છે. સતારા જિલ્લો વીરોની ભૂમિ રહી છે. રાહુલ બાબા અગ્નિવીર અંગે જૂઠ ફેલાવી રહ્યા છે. તમે તેમના ભ્રમમાં ના આવશો. તેમણે આગળ કહ્યું, “રાહુલ બાબા, અમારા વચનો તમારી જેમ નથી હોતા. નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. મ્ત્નઁનું વચન પથ્થર પર લીટી છે. કર્ણાટક, હિમાચલ, તેલંગાણા ચૂંટણીમાં તમે વચનોનો પિટારો ખોલ્યો અને ચૂંટણી જીતી ગયા, હવે તો ખરગે જી પણ કહે છે કે સંભાળીને વચન આપો, પૂરું નથી થતું.