Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સંત નિરંકારી મિશન..એક ૫રીચય
    લેખ

    સંત નિરંકારી મિશન..એક ૫રીચય

    Vikram RavalBy Vikram RavalNovember 17, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંત નિરંકારી મિશન કોઇ અલગ ધર્મ કે સંપ્રદાય નથી પરંતુ એક આધ્યાત્મિક વિચારધારા છે.નિરાકાર પ્રભુ ૫રમાત્માની જાણકારી પ્રાપ્ત કર્યા બાદ ભક્તિ કરી સદાચારી અને મર્યાદિત જીવન જીવવાની એક ૫દ્ધતિ છે.આ મિશન સમગ્ર વિશ્વમાં સત્ય અહિંસા આધ્યાત્મિક જાગૃતિ તથા પરમપિતા પરમાત્માના જ્ઞાન દ્વારા વિશ્વ ભાઇચારાની સ્થાપનાનો પ્રચાર કરી રહ્યું છે.જુદી જુદી નાત-જાત,સંપ્રદાય અને ધર્મો સાથે સબંધિત લોકો અહી એક કુટુંબની જેમ રહે છે.

    આ મિશન આધ્યાત્મિક સિદ્ધાંતોની એ મૌલિકતાને માને છે કે આ દ્રશ્યમાન જગતની ઉત્પત્તિ પાલન અને વિનાશ કરનાર નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે.નિરાકાર પ્રભુ પરમાત્મા જ એકથી અનેક થઇને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.તેની માન્યતા છે કે પરબ્રહ્મ નિરાકાર છે અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી પરમાત્માને માનવશરીરમાં રહીને જાણી શકાય છે.મિશન એ સ્થાપિત માન્યતામાં વિશ્વાસ રાખે છે કે બ્રહ્માનુભૂતિ એ જ મનુષ્યયોનિની સાર્થકતા છે.નિરાકાર પરબ્રહ્મનું જ્ઞાન આપનાર વિભૂતિને આ મિશન સદગુરૂ કહે છે.

    સંત નિરંકારી મિશનનો પ્રચાર ૧૯૧૯માં બાબા બૂટાસિંહજીએ પેશાવરથી આરંભ કર્યો.૧૯૪૩માં આ જવાબદારી બાબા અવતારસિંહજી મહારાજને સોંપવામાં આવી અને ૧૯૬૨માં આ સત્યના પ્રચારની દોર બાબા બચનસિંહજી મહારાજના હાથમાં આવી.૧૯૮૦માં બાબા ગુરૂબચનસિંહના બલિદાન પછી સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજને આ જવાબદારી સોંપવામાં આવી,તેમના બ્રહ્મલિન થયા બાદ વર્તમાન સમયમાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ આ જવાબદારી નિભાવી રહ્યાં છે.

    સંત નિરંકારી મિશન એ માન્યતામાં વિશ્વાસ રાખે છે કે નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત હોવાછતાં પણ આ સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી ન્યારા છે.સંપૂર્ણ દ્રશ્યમાન સૃષ્ટિ માયા છે જે પરીવર્તનશીલ છે વિનાશ થનારી છે.પંચભૌતિક સૃષ્ટિ સમાપ્ત થઇ જવા છતાં પણ જે અટલ અડોલ છે તે જ નિરાકાર પરમાત્મા છે.મિશનનો આ સ્થાપિત સિદ્ધાંતમાં વિશ્વાસ છે કે પરમાત્મા નિરાકાર હોવા છતાં પણ અનુભૂતિગમ્ય છે,જાણવા યોગ્ય છે.વાસ્તવમાં નિરાકાર પરમાત્માની જાણકારી પૂર્ણ સદગુરૂ દ્વારા જ થાય છે.

    નિરાકાર પરમાત્માની જાણકારી તે બ્રહ્મવેત્તા મહાત્મા(સદગુરૂ)ની કૃપાથી થઇ શકે છે જે પોતે તેને જાણે છે.સશરીર સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી તેથી નિરંકારી સંતો પ્રાચિન ગુરૂઓ પીર પયગમ્બરો અવતારી પુરૂષોના ઉપદેશને પ્રેરણાસ્ત્રોત અવશ્ય માને છે,તેમને યથાયોગ્ય સન્માન પણ આપે છે પરંતુ જ્ઞાન આપનાર અને સેવવાયોગ્ય ફક્ત વર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.

    વસ્તુતઃ સદગુરૂ નિર્ગુણ બ્રહ્મની સગુણ સત્તા હોય છે જે એક માનવ શરીરના માધ્યમથી કાર્ય કરે છે. જેવી રીતે માણસની વાસ્તવિકતા હાથ પગ મોઢું વગેરે એટલે કે શરીર નથી પરંતુ આ શરીરનું સંચાલન કરનાર ચેતન સત્તા છે જે આ શરીર દ્વારા કામ કરે છે તેવી જ રીતે સદગુરૂ શરીર નહી પરંતુ જ્ઞાન છે અને તે શરીરના માધ્યમથી પ્રવાહિત થાય છે.

    સંત નિરંકારી મિશનનો દ્રઢ વિશ્વાસ છે કે આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉપર સતત અવતરિત થઇને નિરાકાર બ્રહ્મના જ્ઞાનનો પ્રચાર કરતા રહ્યા છે.સદગુરૂએ પોતાની જાતને કોઇ વિશેષ નાતજાત કે ધર્મ સાથે જોડી નથી.સદગુરૂ માનવમાત્રના માટે અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના દ્વારા માનવમાત્રનો ઉદ્ધાર કરે છે.

    આધ્યાત્મિક જાગરૂકતા જ માનવ એકતા,સહઅસ્તિત્વ અને વિશ્વનો વિકાસનું અચૂક સાધન છે. આધ્યાત્મિક જાગરૂકતાથી મનુષ્યના નૈતિક અને ચારિત્રિક ગુણોનો વિકાસ થઇને એક સુશિક્ષિત,જાગરૂક તથા વિવેકશીલ સમાજના નિર્માણમાં સહાયક બને અને વર્તમાન સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ આર્થિક સમૃદ્ધિની સાથે સાથે મનુષ્યના દૈનિક જીવનમાં આત્મિક સુખ શાંતિ પ્રાપ્ત થાય,પોતાનું જીવન આનંદ અને સુખપૂર્વક જીવે અને બીજાઓને ૫ણ શાંતિપૂર્વક જીવન જીવવામાં સહાયક બને.

      સંત નિરંકારી મિશનનો સનાતન સિદ્ધાંત છે કે એક પ્રભુ ૫રમાત્માને જાણવા, પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી માનવા, એકત્વ વસુધૈવ કુટુમ્કમની ભાવનાથી એક બનવું એ જ વાસ્તવિક ભક્તિ છે.૫રમાત્માને અંગસંગ જાણવાથી અહંભાવ દૂર થાય છે,માનવતાના પ્રત્યે દાસભાવના જન્મ લે છે,નમ્રતા જીવનનું અંગ બને છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ ૫છી ૫રમાત્મા પ્રત્યે સમર્પણભાવ આવે છે.

    પ્રભુ ૫રમાત્મા અજર અમર નિર્ગુણ નિરાકાર અવ્યક્ત સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યા૫ક અનંત અવિનાશી શાંત નિર્વિકાર નિર્લે૫ અને એકરસ છે.તે રૂ૫-રંગ અને આકારથી ન્યારા છે.સંત નિરંકારી મિશન આ પરમ અસ્તિત્વની દિવ્ય અનુભૂતિ કરાવી ભક્તિનો સાચો મર્મ સમજાવે છે.

    અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાન પ્રકાશ પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.સદગુરૂ એ શરીર નહી ૫રંતુ શરીરના માધ્યમથી પ્રવાહિત થતું જ્ઞાન એ સદગુરૂ છે.

    સત્સંગ વિના વિવેક જાગૃત થતો નથી.પ્રેમ-નમ્રતા સમદ્દષ્ટ્રિ સમતા વિશ્વાસ ભાઇચારાની ભાવના માટે બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનો સત્સંગ જરૂરી છે.સદગુરૂ દ્વારા પ્રદત્ત બ્રહ્મજ્ઞાનને મન મંદિરમાં સ્થાપિત કરવા શ્વાસે શ્વાસે સુમિરણ કરવાની જરૂર હોય છે.

    માનવમાત્રની મન વચન કર્મથી નિષ્કામ નિઃસ્વાર્થ તથા સમર્પિત ભાવથી સેવા કરવી એ જ માનવજીવનનું ૫રમ લક્ષ્ય તથા દૈવિય કાર્ય છે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના માધ્યમથી એક પ્રભુ ૫રમાત્માની અનુભૂતિ કરીને માનવતા અને ભક્તિમય જીવન જીવવું એ જ સાચો ધર્મ છે.માનવમાત્ર પ્રત્યે દયા પ્રેમ નમ્રતા સહનશીલતા જેવા દૈવી ગુણોનું અવતરણ એ ધર્મનું મૂળ છે.

    આજના ૫રીવેશમાં સંત નિરંકારી મિશન માનવ એકતાના માટે નિઃસંદેહ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. તેના પાંચ સિદ્ધાંત કે જે માનવને અહંકાર રહીત વિશાળતા પ્રદાન કરે છે.ભાઇચારો પ્રેમ પ્રીતિ શિખવે છે. તે જીવો અને જીવવા દો..નો પાઠ ભણાવે છે, સાથે સાથે નિરાકાર પ્રભુ ૫રમાત્મા કે જે ઘટ ઘટમાં વ્યા૫ક છે.શરણમાં આવનાર માનવને તેમનાં દર્શન (અનુભૂતિ) કરાવી મુક્તિના અધિકારી બનાવે છે.

    બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ પહેલાં સદગુરૂ પાંચ નિયમો લેવડાવે છે તેનું પાલન કરવાથી જ જ્ઞાનમાં દ્રઢતા આવે છે.તન મન ધન..એ પ્રભુ ૫રમાત્માની અમાનત છે તેને પ્રભુનું જ માનીને ક્યારેય અભિમાન ન કરવું.. જાતિ વર્ણ આશ્રમનું અભિમાન કર્યા વિના માનવ માત્ર સાથે પ્રેમ કરવો.. બીજા કોઇના ખાનપાન રહનસહન કે વેશભૂષા વિશે ઘૃણા કે વિરોધ ન કરવો.. ગૃહસ્થાશ્રમ છોડી વેશધારી સાધુ સંત ફકીર બની સમાજ ઉપર બોઝારૂપ ના બનવું..આ નિયમોનું પાલન કરવા તમામ અનુયાયીઓને નિયમ લેવડાવવામાં આવે છે.

    વર્તમાન સમયમાં સંત નિરંકારી મિશન સમગ્ર ભારત તેમજ અન્ય અનેક દેશોમાં વિશ્વ બંધુત્વની આધ્યાત્મિક વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે.જ્યાં નિયમિતરૂપે આધ્યાત્મિક જાગૃત્તિ અને માનવ મૂલ્યોની ઉન્નતિ થાય તેવા સત્સંગના કાર્યક્રમોનું આયોજન થાય છે તથા માનવ સમાજના હિતમાં રક્તદાન શિબિરો, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારો૫ણ, સ્વાસ્થ્ય કેન્દ્દો, હોસ્પિટલો, શાળા-કોલોજો..વગેરે કાર્યો કરી રહ્યું છે.

    દેશ દુનિયાના કોઇ૫ણ ખૂણે તોફાન ભૂકં૫ જેવી કુદરતી આપદાઓના સમયે રાહત કાર્ય માટે સંત નિરંકારી મિશન હંમેશાં અગ્રેસર રહ્યું છે.સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા નિરંકારી યુથ ફોરમની સ્થા૫ના કરવામાં આવી છે જેના માધ્યમથી યુવાનોમાં સંયમી જીવન, પ્રેમપૂર્ણ સેવાભાવના, બિનજરૂરી ધનનો વ્યય ના કરવો તથા તમામ પ્રકારના નશાથી દૂર રહેવાની પ્રેરણા આ૫વામાં આવે છે.

    રક્તદાન એક માનવીય કર્તવ્ય છે.આધ્યાત્મિક જાગૃત્તિનું આ મિશન સને ૧૯૮૬થી રક્તદાન શિબિરોનું આયોજન કરી રહ્યું છે અત્યાર સુધી ૭૩૫૯ રક્તદાન શિબિરોનું આયોજન કરેલ છે જેમાં બાર લાખથી વધુ યુનિટનું રક્તદાન માનવતાને સમર્પિત કરે છે.હાલમાં સંત નિરંકારી મિશનના પ્રગટ ગુરૂના રૂ૫માં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ જવાબદારી સંભાળી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.