ડો.કે.ડી.હાપલીયા, દિક્ષિતા હાપલીયા, હર્ષિત હાપલીયા
વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે પર્યાવરણ આપણી હીન વૃતિથી દીન બન્યું છે ત્યારે પર્યાવરણ દ્વારા આદિકાળથી આપણી રક્ષા અને વૈવિઘ્યતા સાથે પાલન થતુ આવ્યું છે. અત્યારે આપણી આર્થિક દોડ અને કંઈને કઈ રીતે શ્રેષ્ઠ બનવાની દોડના કારણે આપણ સહુએ પર્યાવરણને દીન બનાવી દીધુ છે.
વૃક્ષ રક્ષિતનુ પ્રકૃતિ, સંસ્કૃતિએ ઉદેશને સાર્થક કરવા આપણી પણ ફરજ છે કે જન્મના પ્રારંભથી પ્રકૃતિનો તમામ આયામે બેફામ ઉપયોગ કરી તેની આપૂર્તિમાં ખુબજ બેદરકાર છીએ નાટકના આપણે વસુંધરાને એકયા બીજી રીતે જેમણે વિના કારણ વૃક્ષ છેદન, પાણીનો બગાડ, પાણીમાં ઘાતક તત્વોનો ઉમેરો કરી જળચર સૃષ્ટિનો વિનાશ, વાયુમંડળમાં ઝેરીલા ગેસ, જમીન સ્તરમાં વિશાળ પ્રમાણમાં કેમિકલ્સ, ઝેરી રસાયણો, વિના કારણ અવાજના પ્રદુષણ, ઘોંઘાટમય જીવન જીવી માનસિકતાના અસંતુલન ઉભા કરવા, બિનજરૂરી લાઈટના વપરાશથી રાત્રી દરમ્યાન જીવ સૃષ્ટિના જીવનમાં ખલેલ પહોચાડવી, ખોટી રીતે દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો મહતમ ઉપયોગ કરી સ્વાસ્થ્ય સંબંધિત વિક્ષેપ ઉભા કરી વાતાવરણને બગાડવુ આ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નગર-નગર, શેરી-શેરીએ થવા જઈ રહી છે ત્યારે જાગૃત નાગરિક તરીકે વસુંધરાનુ પુજન થાય, હવા,પાણી,વાયુ,વૃક્ષ, જીવ સૃષ્ટીનુ જતન કરવુ. કરાવવુ અને નકરીએ તો નડવુ નહીં એ સાથે વૃક્ષ,જલ,પરિસરના તમામ જૈવિક, ભૌતિક, આયામોનુ જતન કરીએ, એજ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક ગણાશે.
આપણા શાસ્ત્રોમાં પણ પર્યાવરણના જતન માટે જલ,ધરા,વૃક્ષોના જતન માટે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આથી ચાલો સહું સાથે મળી આપણી શારિરીક-માનસીક આર્થિક શકિત મુજબ વસુંધરાને તમામ સ્તરે નવપલ્લવીત, શૃંગાર કરવા અને મા-નો શૃંગાર કાયમી રહે તે માટે જળ,સ્થળ અને વાયુ, ધરાના તમામ જીવોને જીવવાનો અધિકાર આપી આપણી આવનારી પેઢીને સારૂ હરીયાળુ, પવિત્ર માઘ્યમ સરિતાના કિનારાઓને બે કાંઠે વહેતા રૂપમાં નિહાળવા પ્રયાશ કરીએ તેવી પ્રાર્થના.
(પ્રાસંગીક- ડો.કેડી.હાપલીયા, દક્ષિતા હાપલીયા, હર્ષિત હાપલીયા)

