Maharashtra,તા.૨૫
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને મોટી હારના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬ ધારાસભ્યો જીતનાર ઉદ્ધવ ઠાકરેને આ વખતે માત્ર ૨૦ જ મળ્યા છે. જ્યારે એકનાથ શિંદે જૂથના શિવસેનાના ૫૭ ધારાસભ્યો જીત્યા છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને નવું ટેન્શન આપ્યું છે, જેઓ પાર્ટીનું નામ અને પ્રતીક પહેલેથી જ ગુમાવી ચૂક્યા છે. શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવાલેનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને સાથે આવવા માંગે છે. માનવામાં આવે છે કે એકનાથ શિંદે જૂથના આ દાવા બાદ ઉદ્ધવ સેના સતર્ક થઈ ગઈ છે.
એટલું જ નહીં સોમવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર તમામ ૨૦ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્યોને લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ પક્ષ બદલશે નહીં. આ તમામ ધારાસભ્યો પાસેથી એફિડેવિટ લેવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે તેઓ પક્ષને વફાદાર રહેશે અને તેમના વડા તરીકે જે પણ નેતા પસંદ કરવામાં આવશે તેને તેઓ સ્વીકારશે. આ માટે ઉદ્ધવ ઠાકરેને સત્તા આપવામાં આવી છે. માતોશ્રીમાં મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને ભાસ્કર જાધવને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
એટલે કે જાધવ વિધાનસભામાં પાર્ટીનું નેતૃત્વ કરશે. પહેલાની જેમ સુનીલ પ્રભુ ગૃહમાં પાર્ટીના ચીફ વીપી રહેશે.જ્યારે એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેએ ડરના કારણે આ બેઠક બોલાવી હતી. કારણ કે તેમના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જેના કારણે તે ધારાસભ્યો પાસેથી એફિડેવિટ લેવામાં આવી છે કે તેઓ છોડશે નહીં. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ જૂથને જોરદાર ફટકો પડ્યો છે અને સંજય રાઉતે ચૂંટણી પરિણામો પછી ઈફસ્ પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે એકનાથ શિંદેના તમામ ધારાસભ્યો કેવી રીતે જીતી રહ્યા છે? મને આ પરિણામો પર વિશ્વાસ નથી અને કંઈક ખોટું હોવું જોઈએ. એટલું જ નહીં કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે આ પરિણામ આશ્ચર્યજનક છે અને અમે તેના પર મંથન કરીશું. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.