Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Canada માં સતત ત્રીજીવાર કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફાયરીંગ

    October 17, 2025

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025

    Gujarat HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ

    October 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Canada માં સતત ત્રીજીવાર કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફાયરીંગ
    • Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી
    • Gujarat HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ
    • “બિગ બેશ જેવી લીગમાં ભારતીયોને પણ તક મળવી જોઈએ” : Ravi Shastri
    • Virat Kohli એ કરોડોની મિલ્કતનો પાવર ઓફ એટર્ની મોટાભાઈને આપ્યો
    • યાત્રી ટ્રેનોની સરેરાશ સ્પીડમાં 15 ટકાનો વધારો
    • ફળ આધારિત પીણાં કે એનર્જી ડ્રિંક્સમાં ‘ORS’ લખવું હવે ગુનો ગણાશે : FSSAIનો કડક આદેશ
    • BJP સાંસદ નિશિકાંત દુબેની પત્ની પર કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Kerala ના વાયનાડમાં આફત બન્યો વરસાદ, ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 24 થયો
    અન્ય રાજ્યો

    Kerala ના વાયનાડમાં આફત બન્યો વરસાદ, ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 24 થયો

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kerala,તા.30

    દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના અહેવાલ મુજબ 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.

    ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા

    કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે.  મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

    PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વળતરની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છેકે ‘વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.’ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

    કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી

    વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.’

    CMO તરફતી એક નિવેદન પણ જાહેર કરાયું

    રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના બાદ મુખ્યમંત્રીની ઓફિસ તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છેકે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા જરૂરી વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મુંડકાઈ સુધી પહોંચાડી શકાય. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના કરવામાં આવ્યા છે.

    70 injured Kerala kill 24 landslides Wayanad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Rajasthan: ટ્રેલરની ટક્કરે કાર સળગી, ૪ લોકો જીવતા બળી ગયા

    October 16, 2025
    અન્ય રાજ્યો

    Facebook પર નામ બદલીને યુવકે હિન્દુ યુવતીને ફસાવી

    October 16, 2025
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં હિન્દી ફિલ્મો – હોર્ડીંગ પર પ્રતિબંધ મુકવાની તૈયારી

    October 15, 2025
    મુખ્ય સમાચાર

    Rajasthan માં જેસલમેર પાસે ચાલતી બસમાં આગ ભભૂકી : 20 યાત્રીઓ જીવતા ભડથું

    October 15, 2025
    અન્ય રાજ્યો

    હવામાં ઉડતા Plane ના કાચમાં તિરાડ પડતાં મુસાફરોના શ્વાસ અધ્ધર થયાં

    October 11, 2025
    અન્ય રાજ્યો

    Bihar Assembly Elections: ભાજપ માટે પ્રાદેશિક પક્ષો માથાનો દુખાવો બન્યા, ચિરાગ પાસવાન પછી ઉપેન્દ્ર કુશવાહા નારાજ

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Canada માં સતત ત્રીજીવાર કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફાયરીંગ

    October 17, 2025

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025

    Gujarat HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ

    October 17, 2025

    “બિગ બેશ જેવી લીગમાં ભારતીયોને પણ તક મળવી જોઈએ” : Ravi Shastri

    October 17, 2025

    Virat Kohli એ કરોડોની મિલ્કતનો પાવર ઓફ એટર્ની મોટાભાઈને આપ્યો

    October 17, 2025

    યાત્રી ટ્રેનોની સરેરાશ સ્પીડમાં 15 ટકાનો વધારો

    October 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Canada માં સતત ત્રીજીવાર કોમેડિયન કપિલ શર્માના કેફે પર ફાયરીંગ

    October 17, 2025

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025

    Gujarat HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ

    October 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.