Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો
    • RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ
    • નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ
    • હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma
    • મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ
    • બ્લોગરનો ફોટો લાઈક કરવા પર Virat થયો ટ્રોલ
    • IPL ધરખમ ખેલાડીઓના `ફ્લોપ શો’ થી ટીમ પરફોર્મન્સ નબળા
    • IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો
    રાષ્ટ્રીય

    RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 6, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોનેટરી પોલિસીની બેઠકમાં 4:2ના બહુમતથી નિર્ણય

    New Delhi,તા.06

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર 6.50 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે. 

    અર્થશાસ્ત્રીઓનું શું માનવું હતું? 

    અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે. 

    CRR 0.50 ટકા ઘટ્યો

    મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેઝિસ પોઈન્ટ (0.50 ટકા)નો ઘટાડો કર્યો છે. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યં હતું કે, ‘ડિસેમ્બર, 2024માં સીપીઆઈ ફુગાવો 5 ટકાના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી, 2025માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.’  

    CRR ઘટતાં લિક્વિડિટી 1.06 લાખ કરોડ વધશે

    કેશ રિઝર્વ રેશિયો ઘટાડી 4 ટકા કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. 1.06 લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે આપ્યો છે. જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે. મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.

    GDP ગ્રોથ અંદાજ ઘટાડ્યો

    આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતાાં નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ અંદાજ 7.2 ટકાથી ઘટાડી 6.6 ટકા કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ 4.5 ટકાથી ઘટાટડી 4.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.

    રેપો રેટ શું હોય છે? 

    રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને ‘રેપો’ તરીકે ઓળખવામાં આવે છે.” આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે. 

    આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં સમિતિ કરે છે નક્કી 

    આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. RBIના ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે. આ ઇન્ફ્લેશન ટ્રેન્ડને નિયંત્રિત કરવા અને માર્કેટ લિક્વિડિટી જાળવવામાં આરબીઆઈ માટે એક મુખ્ય સાધન છે. રેપો દર અને ફુગાવાને વ્યસ્ત રીતે સંબંધિત છે, કારણ કે જ્યારે રેપો દર વધે છે, ફુગાવાને ઘટાડે છે અને તેનાથી વિપરીત છે. તે હોમ લોન, પર્સનલ લોન અને બેંક ડિપોઝિટ દરોના વ્યાજ દરોને પણ અસર કરે છે.

    RBI Governor Shaktikanta Das
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Balen Shahના આદેશના કારણે ભારત-નેપાળ બોર્ડર પર વિવાદ

    April 21, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર ભારતમાં Earthquakeનો આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026
    રાષ્ટ્રીય

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026

    હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma

    April 22, 2026

    મુંબઈમાં નજીવી બાબતે હિંસા : પુર્વ ક્રિકેટર Yusuf Pathan ના સસરા સહિત 3ની ધરપકડ

    April 22, 2026

    બ્લોગરનો ફોટો લાઈક કરવા પર Virat થયો ટ્રોલ

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.