Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 15, 2025

    વૈશ્વિક તેમજ સ્થાનિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!

    October 15, 2025

    Rajkot: પુજા જાદવ આત્મહત્યા કેસમાં આસુ ગીતાબેનના આગોતરા નામંજુર

    October 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • વૈશ્વિક તેમજ સ્થાનિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!
    • Rajkot: પુજા જાદવ આત્મહત્યા કેસમાં આસુ ગીતાબેનના આગોતરા નામંજુર
    • Jamnagar: ચેક પરતના કેસમાં એક વર્ષની જેલ સજા
    • Amreli: જુના માર્કેટ યાર્ડ પાસે ખોદકામ દરમિયાન ગેસની પાઈપ લાઈન લીકેજ થતા ભડકો
    • Rajkot: રેસકોર્સ રીંગ રોડ પર શાનદાર દિવાળી ઉત્સવની તૈયારીઓ થઇ ગઇ
    • Gujarat Gas બંધ મીટર બદલ વસુલેલી રકમ વ્યાજ સહિતે ચુકવવા હુકમ
    • IPL ની કિંમત ઘટીને રૂ।.76,100 કરોડ થઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ચૂંટણી હારનારા વિપક્ષોની ઈવીએમ પર ખીજ
    લેખ

    તંત્રી લેખ…ચૂંટણી હારનારા વિપક્ષોની ઈવીએમ પર ખીજ

    Vikram RavalBy Vikram RavalDecember 12, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો બાદ ઇવીએમ મુદ્દે આકાશ માથે ઉંચકનારા વિપક્ષને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાને પૂછ્યું કે ચૂંટણી હાર્યા બાદ જ કેમ ઇવીએમ પર સવાલો ઉઠાવવામાં આવે છે? અરજીકર્તાની સાથે જ વિપક્ષની પાસે એ સવાલનો કોઈ જવાબ ન હતો. વિપક્ષને એક ઝાટકો ત્યારે પણ લાગ્યો, જ્યારે આ જ સોમવારે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રશાસને ૭૫ ઇવીએમનું વીવીપેટ એટલે કે મતદાન ચબરખીઓ સાથે મેળવણી કરી અને જોયું કે મતોમાં કોઈ જ અંતર નથી. આ ઇવીએમની પસંદગી તમામ પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી, જેથી વિપક્ષી નેતાઓ પાસે કોઈ એવું બહાનું ન રહે કે ઇવીએમની પસંદગી મનમાફક રીતે કરાઈ! આ પહેલાં ઇવીએમ મુદ્દા પર મહારાષ્ટ્રના વિપક્ષી દળોએ ત્યારે પોતાની ફજેતી કરાવી, જ્યારે તેના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લેવાનો ઇનકાર કર્યાના બીજા જ દિવસે શાણા થઈને શપથ લઈ લીધા! જો વિપક્ષી દળો ઇવીએમ વિરોધને લઈને એટલા ગંભીર હતા કે ધારાસભ્યો શપથ લેવાનું જરૂરી નહોતા માનતા, તો પછી એકાદ અઠવાડિયું તો તેમણે પોતાનું વલણ પકડી રાખવું જોઇતું હતું. જોકે આ ફજેતી બાદ પણ એટલું નક્કી છે કે વિપક્ષનાં રોદણાં ચાલુ જ રહેવાનાં છે. કંઇક નવાં બહાનાં તે શોધી લાવશે અને છાજિયાં લેશે કે તેમને જાણીજોઈને હરાવી દેવામાં આવ્યા છે. મથાળાંમાં ચમકવા માટે તે નિતનવાં ગતકડાં કરશે.

    હાલમાં મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ચૂંટણી પંચને એવા પત્રો મોકલી રહ્યા છે કે ઇવીએમનો ઉપયોગ બંધ કરવામાં આવે. બધા જાણે છે કે આવા પત્રોથી કશું ય વળવાનું નથી. તેમનો ઉદ્દેશ્ય માત્ર જનતાને ભરમાવવાનો છે. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ગામે ગામ જઈને ગ્રામીણોને એ કહેવા માટે ઉશ્કેરી રહ્યા છે કે તેમને ઇવીએમ પર ભરોસો નથી. ગત દિવસોમાં વધી-ઘટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સરદ પવારે એક ગામ જઈને ઇવીએમને નિશાના પર લીધું. તેમના નિવેદનને ઇંગિત કરીને કેટલાક લોકો દ્વારા એવો માહોલ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી કે હવે તો શરદ પવારે પણ ઇવીએમ પર શંકા વ્યક્ત કરી દીધી છે એટલે તેને ગંભીરતાથી લેવું જોઇએ, પરંતુ તેનો જવાબ કોઈની પાસે નથી કે શું કામ? શું એટલા માટે કે શરદ પવાર કહી રહ્યા છે? શરદ પવાર મોટા નેતા હશે, પરંતુ તેનો એ મતલબ તો ન હોય કે તેઓ જે બોલે તે પથ્થરની લકીર સમજવી. તેઓ નેતા છે, ન્યાયાધીશ નહીં!

    વિપક્ષનાં ઇવીએમ પર રોદણાં નાચતાં ન આવડે તેને આંગણું વાંકુ એ કહેવત ચરિતાર્થ કરે છે. વિપક્ષી નેતા એ તો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે, પરંતુ તેઓ એ કહેવાની હિંમત નથી કરી શકતા કે મહારાષ્ટ્રની સાથે ઝારખંડનાં પણ ચૂંટણી પરિણામો તેમને મંજૂર નથી અને બંને રાજ્યોમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે! શરદ પવારની એનસીપી, ઉદ્‌ઘવ ઠાકરેની શિવસેના સાથે કોંગ્રેસને પણ મહારાષ્ટ્રનાં ચૂટંણી પરિણામો ગળે નથી ઉતરતાં અને તેના નેતા પણ ઇવીએમને ભાંડી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એ એલાન કરી દીધો છે કે રાહુલ ગાંધીએ જેમ ભરત જોડો યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, એવી જ રીતે ઇવીએમ છોડો યાત્રાનું પણ કરશે. જો કોંગ્રેસ ખરેખર આવી હાસ્યાસ્પદ યાત્રાને લઈને ગંભીર છે તો એ જાણવાની ઉત્સુકતા રહેશે કે શું આ યાત્રા એ વિસ્તારોમાંથી પણ નીકળશે, જ્યાંથી કોંગ્રેસ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ જીતી છે? કાયદેસર તો એવા વિસ્તારોવાળા કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોએ આ યાત્રામાં સામેલ થતાં પહેલાં રાજીનામુ આપી દેવું જોઇએ. શું તેઓ એવું કરશે? નહીં જ કરે, કારણ કે અણસાર તો એવા જ છે કે ના નવ મળ તેલ હશે, ના રાધા નાચશે. જો રાહુલ ગાંધી કોઈ આવી યાત્રા કાઢશે તો તે પોતાની અને કોંગ્રેસની હાંસી જ કરાવશે. જોકે રાહુલને પોતાની હાંસી થાય તેનાથી કશો ફરક પડતો નથી!

    ઇવીએમને અવિશ્વસનીય કહેવાની સાથે તેના ઉપયોગને રોકવા માટે ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં કેટલીય વખત અરજીઓ કરાઈ છે, પરંતુ એવા કોઈ પુરાવા ના તો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયા છે કે ના અદાલતો સમક્ષ તેની સાથે છેડછાડ કરી શકાઈ છે. ૨૦૦૯ના લોકસભા ચૂંટણી બાદ ભાજપી નેતાઓએ પણ ઇવીએમ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપી નેતા જીએલ નરસિંહા રાવે ઇવીએમ વિરુદ્‌ઘ એક પુસ્તક પણ લખ્યું હતું. ડેમોક્રેસી એટ રિસ્ક નામના આ પુસ્તકની પ્રસ્તાવના લાલકૃષ્ણ અડવાણીએ લખી હતી. વિપક્ષ જ્યારે ત્યારે આ પુસ્તકનો ઉલ્લેખ કરે છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ તો એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025
    લેખ

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025
    લેખ

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    લેખ

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025
    લેખ

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025
    ધાર્મિક

    Dhanteras થી યમદ્વિતીયા સુધી, તહેવારોની પૂજાનું શાસ્ત્રીય અને જ્યોતિષીય મહત્વ

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 15, 2025

    વૈશ્વિક તેમજ સ્થાનિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!

    October 15, 2025

    Rajkot: પુજા જાદવ આત્મહત્યા કેસમાં આસુ ગીતાબેનના આગોતરા નામંજુર

    October 15, 2025

    Jamnagar: ચેક પરતના કેસમાં એક વર્ષની જેલ સજા

    October 15, 2025

    Amreli: જુના માર્કેટ યાર્ડ પાસે ખોદકામ દરમિયાન ગેસની પાઈપ લાઈન લીકેજ થતા ભડકો

    October 15, 2025

    Rajkot: રેસકોર્સ રીંગ રોડ પર શાનદાર દિવાળી ઉત્સવની તૈયારીઓ થઇ ગઇ

    October 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 15, 2025

    વૈશ્વિક તેમજ સ્થાનિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો…!!

    October 15, 2025

    Rajkot: પુજા જાદવ આત્મહત્યા કેસમાં આસુ ગીતાબેનના આગોતરા નામંજુર

    October 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.