ઈન્ડિગોના લગભગ ૪૦૦ મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર ૨૪ કલાકથી ફસાયેલા હોવાનું કહેવાય છે
New Delhi, તા.૧૪
ગત દિવસોમાં તુર્કીથી મુંબઈ આવતા સેંકડો હવાઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિગોના લગભગ ૪૦૦ મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર ૨૪ કલાકથી ફસાયેલા હોવાનું કહેવાય છે. એક પેસેન્જરના જવાબમાં એરલાઈને કહ્યું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ મોડી પડી હતી.ઇન્ડિગોના કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ અને ન્ૈહાીઙ્ઘૈંહ પર દાવો કર્યો હતો કે ફ્લાઇટ પહેલા મોડી પડી હતી અને બાદમાં કોઈપણ સૂચના વિના રદ કરવામાં આવી હતી. મુસાફરોમાંના એક અનુશ્રી ભણસાલીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ બે વાર એક કલાકથી મોડી પડી હતી, પછી રદ કરવામાં આવી હતી અને અંતે ૧૨ કલાક પછી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ મોડી હોવા છતાં ઇન્ડિગો દ્વારા કોઈ રહેવાની સગવડ, ફૂડ વાઉચર આપવામાં આવ્યા ન હતા અને એરપોર્ટ પર ઇન્ડિગોના પ્રતિનિધિએ તેમનો સંપર્ક પણ કર્યો ન હતો.અન્ય એક મુસાફર રોહન રાજાએ જણાવ્યું હતું કે દિલ્હીથી સવારે ૬.૪૦ વાગ્યે ઉપડેલી ફ્લાઇટ કેન્સલ થયા બાદ લોકોએ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે એરલાઇન્સે તેમને આપવામાં આવેલા આવાસ સુધી પહોંચવા માટે કોઈ વાહન આપ્યું ન હતું.મુંબઈ આવવાની રાહ જોઈ રહેલા પાર્શ્વ મહેતાએ લખ્યું કે રાત્રે ૮ વાગ્યાની ફ્લાઈટ ૧૧ વાગ્યા સુધી અને પછી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વધુમાં ઈન્ડિગો તરફથી કોઈ જાહેરાત ન થવાને કારણે અને ટર્કિશ એરલાઈન્સના ક્રૂ તરફથી કોઈ માહિતી ન મળવાને કારણે અરાજકતા સર્જાઈ હતી. મુસાફરોની ફરિયાદોના જવાબમાં એરલાઈને કહ્યું કે ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર વિલંબિત થઈ છે અને અમે તેના માટે માફી માંગીએ છીએ.