Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ

    August 4, 2025

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025

    લંડન બાદ હવે New York ના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બાબા રામદેવનું સ્ટેચ્યુ મુકાયુ

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ
    • Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે
    • લંડન બાદ હવે New York ના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બાબા રામદેવનું સ્ટેચ્યુ મુકાયુ
    • Delhi માં મહિલા સાંસદને ચેઈન સ્નેચર ભટકાઈ ગયો : મંગળસૂત્ર આંચકી ફરાર
    • સાચો ભારતીય આવુ કહી શકે નહી : Rahul Gandhi ને સુપ્રીમની ફટકાર
    • Shashi Tharoor ની કોહલીને અપીલ:’કરોડો ક્રિકેટ ચાહકો ઈચ્છે છે વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે’
    • Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત
    • Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Assam-UPમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત
    અન્ય રાજ્યો

    Assam-UPમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત

    Vikram RavalBy Vikram RavalDecember 19, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લખનૌમાં કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું

    Lucknow, તા.૧૯

    ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસનો દાવો છે કે, ગોરખપુરથી આવેલા પ્રભાત પાંડે વિરોધ દરમિયાન પોલીસના ધક્કામુક્કી અને બળપ્રયોગને કારણે ઘાયલ થયા હતો, જેના કારણે તેમનું મોત થયું છે. આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકરનું મોત થયું હતું. કોંગ્રેસે બન્ને ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

    કોંગ્રેસે આ ઘટનાને “પોલીસ ક્રૂરતા” ગણાવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાર્ટીએ પ્રભાતના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી છે.

    બીજી તરફ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પ્રભાત પાંડે પાર્ટી ઓફિસ રૂમમાં પડેલો જોવા મળ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટરને સારી સારવાર માટે સૂચના આપી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકર મૃદુલ ઈસ્લામનું મોત થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે મૃદુલનું મોત થયું છે. આ પ્રદર્શન મણિપુર હિંસા, અદાણી ગ્રુપ સામે લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને ભાજપ સરકારની “તાનાશાહી”નું પ્રતીક ગણાવ્યું હતું. જો કે, આસામ પોલીસે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બન્ને ઘટનાઓને લઈને ભાજપ સરકારોને આડે હાથ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “દેશભરમાં કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબ અને બંધારણના સમર્થનમાં સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન ગુવાહાટીમાં મૃદુલ ઇસ્લામ અને લખનૌમાં પ્રભાત પાંડેનું મૃત્યુ અત્યંત દુઃખદ અને નિંદનીય છે.”  રાહુલ ગાંધીએ આ કાર્યકરોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ “સત્ય અને બંધારણ” માટે સંઘર્ષ ચાલુ રાખશે.

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકારોની કાર્યવાહીને ‘બ્રિટિશ રાજ’ જેવી ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપ બંધારણ અને લોકશાહીનું ગળું દબાવી રહી છે. કોંગ્રેસે આ ઘટનાઓને લોકશાહી અને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. પાર્ટીએ કહ્યું કે, ભાજપ સરકારો માત્ર સંસદમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લોકતાંત્રિક વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

    કોંગ્રેસે બન્ને રાજ્યોની પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

    પાર્ટીનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ પર બળનો ઉપયોગ કરવો અને તેમના મૃત્યુ પછી જવાબદારીથી દૂર રહેવું એ સરકારની “તાનાશાહી માનસિકતા” દર્શાવે છે. કોંગ્રેસે આ બન્ને ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે, આ મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવી જોઈએ.

    Lucknow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાશિ ભવિષ્ય

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand ના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં

    August 2, 2025
    અન્ય રાજ્યો

    Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી

    August 2, 2025
    અન્ય રાજ્યો

    રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh

    August 2, 2025
    અન્ય રાજ્યો

    Bengal Government હવે દરેક સમિતિને ૧ લાખ ૧૦ હજાર રૂપિયાનું અનુદાન આપશે

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ

    August 4, 2025

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025

    લંડન બાદ હવે New York ના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બાબા રામદેવનું સ્ટેચ્યુ મુકાયુ

    August 4, 2025

    Delhi માં મહિલા સાંસદને ચેઈન સ્નેચર ભટકાઈ ગયો : મંગળસૂત્ર આંચકી ફરાર

    August 4, 2025

    સાચો ભારતીય આવુ કહી શકે નહી : Rahul Gandhi ને સુપ્રીમની ફટકાર

    August 4, 2025

    Shashi Tharoor ની કોહલીને અપીલ:’કરોડો ક્રિકેટ ચાહકો ઈચ્છે છે વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે’

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ

    August 4, 2025

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025

    લંડન બાદ હવે New York ના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બાબા રામદેવનું સ્ટેચ્યુ મુકાયુ

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.