New Delhi,તા.૨૦
સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મારામારીમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂતની હાલત સ્થિર અને સામાન્ય છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલ (આરએમએલ)ના એમએસ ડૉ. અજય શુક્લાએ જણાવ્યું હતું કે ગઈ કાલે મળેલા મેડિકલ રિપોર્ટ સારા છે. તેમણે કહ્યું કે આજે કેટલાક રિપોર્ટ આવશે. ડો.અજય શુક્લાએ જણાવ્યું કે બંને સાંસદોની હાલત સારી છે. તેમનું બીપી નિયંત્રણમાં છે. હાલ તેઓ આઇસીયુમાં છે. સાંસદ ડોકટરોની દેખરેખ હેઠળ છે.
આરએમએલ હોસ્પિટલના એમએસ ડો.અજય શુક્લાએ જણાવ્યું હતું કે સીટી સ્કેન અને એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. બંનેના રિપોર્ટ આવી ગયા છે અને રિપોર્ટ નોર્મલ છે. તેમણે કહ્યું કે સિનિયર ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ તેમને ૈંઝ્રેંમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે એનડીએ અને ઈન્ડિયા બ્લોકના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સાંસદો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ અન્ય સાંસદને ધક્કો માર્યા બાદ કોંગ્રેસના નેતા પડી ગયા અને ઘાયલ થયા. સારંગીએ દાવો કર્યો કે તે સીડી પાસે ઉભો હતો. ત્યારે એક સાંસદ તેમના પર પડ્યા હતા. જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી. તેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
સારંગીએ કહ્યું કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને સાથી સાંસદને ધક્કો માર્યો હતો. તે સાંસદ મારા પર પડ્યો, જેના કારણે હું પણ પડી ગયો.” બંને સાંસદોને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ગુરુવારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય બબાલ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના નેતાઓએ સામસામે ફરિયાદ નોંધાવી છે. -ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે છે.