New Delhi,તા.24
સુપ્રીમકોર્ટના કોલેજીયમે રવિવારે પરંપરાથી હટીને પગલુ લીધું હતું. કોલેજીયમે હાઈકોર્ટના જજ પદ માટે વિચારાધીન ઉમેદવારોની સાથે વાતચીત કરી હતી. કોલેજીયમના આ પગલાને ન્યાયિક નિયુક્તિ પ્રક્રિયા એક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે.
આ ઘટનાક્રમ આ મહિનાની શરૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં અલાહાબાદ હાઈકોર્ટના એક જજની વિવાદાસ્પદ ટિપ્પણી સાથે જોડાયેલ ટિપ્પણીને ધ્યાનમાં રાખીને આવી છે.
અહેવાલો મુજબ દેશના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના સહિત કોલેજીયમના કેટલાક સભ્યોનું માનવું હતું કે, પ્રમોશન માટે ઉમેદવારોની લાયકાતની વ્યાપક સમજ હાંસલ કરવા માટે સંભવિત જજોને વ્યક્તિગત રીતે મળવું જરૂરી હતું.
મામલાથી માહિતગાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અલાહાબાદ હાઈકોર્ટના જજની સાથે મીટીંગ અને જે રીતે વિચાર-વિમર્શ આગળ વધ્યા કે માત્ર ફાઈલો પર લખેલા શબ્દો પર નિર્ભર રહેવાને બદલે સંભવિત જજોને મળવું મહત્વનું છે. જો કે આ પગલુ કોલેજીયમની પારંપરિક પ્રક્રિયા કરતા અલગ છે.