Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતમાં આર્થિક સુધારાના ઘડવૈયા પૂર્વ પીએમ Manmohan Singh નું નિધન
    રાષ્ટ્રીય

    ભારતમાં આર્થિક સુધારાના ઘડવૈયા પૂર્વ પીએમ Manmohan Singh નું નિધન

    Vikram RavalBy Vikram RavalDecember 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવી દિલ્હી,તા.27

    ભારતને આર્થિક પતનમાંથી બહાર લાવનારા અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું ગુરુવારે રાતે દિલ્હીમાં ૯૨ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. કોંગ્રેસે શુક્રવારના તેના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. બે વખત વડાપ્રધાન   બનનારા મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોક વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ  ખડગે અને રાહુલ ગાંધી બેલગાવીથી દિલ્હી દોડી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા જ વરિષ્ઠ નેતાઓએ દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને શોકસંદેશ પાઠવ્યો હતો.

    પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ લાંબા સમયથી બીમાર હતા. ગુરુવારે મોડી સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ પશ્ચિમી પંજાબ હાલ પાકિસ્તાનમાં થયો હતો. આ સમયે પરિવારના સભ્યો ઉપરાંત કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી તેમની સાથે હાજર હતા. જોકે, પૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચારથી કોંગ્રેસ કારોબારી માટે બેલગાવી પહોંચેલા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મોડી રાતે દિલ્હી પરત ફર્યા હતા. વધુમાં કોંગ્રેસે શુક્રવારના તેના તમામ કાર્યકરો રદ કરી દીધા છે. દિલ્હી એઈમ્સે જણાવ્યું હતું કે, અત્યંત દુખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે નિધન થયાની માહિતી આપી રહ્યા છીએ. મનમોહનસિંહ વય સંબંધિત બીમારીથી પીડિત હતા. આજે સાંજે ઘરે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરાયો હતો. તેમને રાતે ૮.૦૬ કલાકે દિલ્હી એઈમ્સની મેડિકલ ઈમર્જન્સી વિભાગમાં લવાયા હતા. તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહીં અને રાતે ૯.૫૧ કલાકે તેમનું નિધન થઈ ગયું.

    મનમોહનસિંહના નિધનના સમાચાર સાંભળી ભાજપ પ્રમુખ જેપી નડ્ડા એઈમ્સ દોડી ગયા હતા. આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના ટોચના નેતાઓએ દેશના વિકાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યોગદાનને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી. 

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતા એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, મનમોહનસિંહજીએ બુદ્ધિમતા અને પ્રમાણિક્તાથી દેશનું નેતૃત્વ કર્યું. તેમની વિનમ્રતા અને અર્થતંત્ર અંગે ઊંડી સમજે સમગ્ર દેશને પ્રેરિત કર્યો. શ્રીમતિ કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવી દીધા.

    પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, ભારતે આજે તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક ડૉ. મનમોહનસિંહને ગુમાવ્યા છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી મનમોહનસિંહે નાણામંત્રી સહિત સરકારના વિવિધ પદો પર સેવા આપી અને વર્ષો સુધી આપણા અર્થતંત્ર પર અસર કરે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વડાપ્રધાન તરીકે તેમના પ્રયાસો પ્રશંસનીય હતા.

    મનમોહનસિંહે વર્ષ ૨૦૦૬માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવી હતી. ત્યાર પછીથી તેઓ સતત બીમાર રહેતા હતા. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી બે વખત વડાપ્રધાન રહ્યા હતા. ભારતના ટોચના અર્થશાસ્ત્રીઓમાં તેમનું સ્થાન હતું. તેમણે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. મનમોહનસિંહને હંમેશા તેમના સરળ અને શાંત સ્વભાવ માટે યાદ રખાશે.

    ડૉ. મનમોહનસિંહે નાણામંત્રી તરીકે વર્ષ ૧૯૯૧માં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી, જેમાં ઉદ્યોગો પર સરકારી નિયંત્રણમાં ઘટાડો, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે. તેમના આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાંખ્યું હતું.

    Manmohan Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    રાષ્ટ્રીય

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.