New Delhi,તા.30
વડાપ્રધાન મોદીએ વર્ષ 2024ના અંતિમ દિવસે ‘મન કી બાત’માં બંધારણ, બસ્તરમાં ઓલિમ્પિક, મેલેરિયા અને પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાકુંભને લઈને સંદેશ આપ્યો હતો કે મહાકુંભનો સંદેશ, એક હો પૂરા દેશ…. ગંગા કી અવિરલધારા, ન બંટે સમાજ હમારા.પીએમે જણાવ્યું હતું કે, મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.
લાખો સંત, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાય, અનેક અખાડા હરકોઈ આ આયોજનનો ભાગ બને છે, કોઈ મોટુ નથી હોતું, કોઈ નાનું નથી હોતું, અનેકતામાં એકતા આવું દ્દશ્ય વિશ્વમાં કયાંય નથી જોવા મળતું.
આ કારણે જ આપણો મહાકુંભ એકતાનો મહાકુંભ બની જાય છે. જયારે કુંભમાં ભાગ લો તો એકતાનો સંકલ્પ પણ સાથે લઈને ચાલો. સંવિધાન દરેક કસોટીએ ખરું ઉતર્યુ: ‘મન કી બાત’માં પીએમે જણાવ્યું હતું કે બંધારણ સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. તે આપણું માર્ગદર્શક પણ છે. આ બંધારણ જ છે જેના કારણે હું અહીં છું. તમારી સાથે વાત કરી શકુ છું.