Prayagraj,તા.9
મહાકૂંભમાં બનેલા કોઈપણ અખાડાની શિબિરમાં પ્રવેશ કરતાં જ આપની સૌથી પહેલા મુલાકાત કોટવાલ સાથે થાય છે.તે પોતાની સાથે ચાંદી ચડાવેલી લાઠી સાથે રહે છે. તેને છડીદાર પણ કહેવામાં આવે છે. શિબીરની સુરક્ષાની સાથે સાથે અખાડામાં શિસ્ત જાળવી રાખવાની જવાબદારી પણ તેની પાસે હોય છે.
આપે છે ગોલાલાઠીની સજા:
અશિસ્ત કે અખડાના નિયમ તોડવાની નાની નાની બાબતોમાં તેમને સજા આપવાનો પણ અધિકાર આપવામાં આવે છે. તેમાં એક સજા ગોલા લાઠીની હોય છે જેમાં અશિસ્ત બદલ પિટાઈ કરવામાં આવે છે. નિયમ તોડનારને કોટવાલ ઠંડીમાં ગંગા નદીમાં 10 ડુબકી પણ લગાવે છે.મુર્ગા બનવાની પણ સજા આપે છે.
દરેક અખાડામાં ગુરૂની કુટીયા (ઝુંપડી) પાસે કોટવાલી સ્થાપિત કરવામાં આવે છે. કોઈ અખાડામાં બે તો કોઈ અખાડામાં ચાર કોટવાલ તૈનાત કરવામાં આવે છે. કયાંક આ કોટવાલની એક સપ્તાહ માટે તો કયાંક પુરા કૂંભમેળા માટે કોટવાલી રાખવામાં આવે છે. મહાકુંભનાં બીજા શાહી સ્નાન બાદ કોટવાલની પસંદગી કરવામાં આવે છે. જે કોટવાલનો કાર્યકાળ સારો હોય છે તેમને સર્વસંમતિથી થાનાપતિ કે અખાડાનો મહંત પણ બનાવવામાં આવે છે.
જાજિમ ન્યાય વ્યવસ્થા:
મહા કુંભ ક્ષેત્રમાં જેવી અખાડાની ધર્મ ધ્વજા ફરકે છે અખાડામાં જાજીમ ન્યાય વ્યવસ્થા લાગુ થઈ જાય છે. અખાડાની ધર્મ ધ્વજા જે ચારે બાજુ ખેંચાયેલી હોય છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિક માનવામાં આવે છે. અહી જાજીમ એટલે કે કાર્પેટ પાથરેલી હોય છે. જેના પર બેસાડીને અખાડાની ન્યાયની વ્યવસ્થા સંચાલીત થાય છે.એટલે તેને જાજીમ ન્યાય વ્યવસ્થા કહેવામાં આવે છે.
આજે શાહી સવારી સાથે મેળા ક્ષેત્રમાં પહોંચશે, શંકરાચાર્ય: શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી આજે ગુરૂવારે મેળા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
વૈષ્ણવ સંપ્રદાયના ત્રણેય અખાડા પણ બુધવારે મહાકુંભ મેળા ક્ષેત્રની છાવણીમાં પ્રવેશી ગયા હતા. આ સંપ્રદાયના ત્રણેય અખાડા નિર્મોહી અનિ દિગંબર અનિ અને નિર્વાણી અનિની શાહી સવારી બુધવારે એક સાથે નીકળી હતી.
તુલારામ બાગ સ્થિત શ્રીરૂપ ગૌડીય મઠ સામે શાહી સવારી પહોંચી તો તુલસી પિઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્ય પણ તેમાં સામેલ થયા હતા. ત્યારબાદ શાહી સવારીએ અલગ રંગ પકડયો હતો. સ્વામી રામભદ્રાચાર્યની ઝલક મેળવવા શ્રધ્ધાળુઓ ઉમટયા હતા.લોકોએ તસ્વીર મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. મહિલાઓએ રામભદ્રાચાર્યને દંડવત પ્રણામ કર્યા હતા.