તાજેતરમાં શરૂ થયેલા ૨૦૨૫ના વર્ષમાં ફક્ત ૨૪% અથવા દરેક ૫ ભારતીયોમાંથી ૧ જ તેમની ઘરગથ્થુ આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. જ્યારે ૪૫ ટકા પરિવારોને નવા કેલેન્ડર વર્ષમાં બચતમાં ૨૫% સુધીનો ઘટાડો થવાની અપેક્ષા છે તેમ તાજેતરમાં જાહેર કરાયેલા એક સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે.
૧૬,૧૧૧ વ્યક્તિઓના પ્રતિભાવો પર આધારિત લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૨૦૨૫માં તેમની ઘરગથ્થુ બચત વિશે પૂછવામાં આવતા, માત્ર ૨૭% લોકોએ કહ્યું કે તેઓ તેમની બચતમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. બીજી બાજુ, સર્વેમાં સામેલ ૪૫% પરિવારો આ કેલેન્ડર વર્ષમાં બચતમાં ૨૫% સુધીનો ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.
મોટાભાગના ઘરોમાં આવક વૃદ્ધિનો અભાવ, સતત ઊંચા ખાદ્ય ફુગાવા સાથે, ભારતીયોએ ૨૦૨૪ માં વિવેકાધીન ખર્ચમાં ઘટાડો કર્યો છે, રિટેલરોએ ઇલેક્ટ્રોનિક્સ, ઘરેલું ઉપકરણો અને વ્યક્તિગત વાહનોના વેચાણમાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ નોંધાવી છે.
ભારતીય પરિવારો નવા કેલેન્ડર વર્ષમાં પણ ફુગાવામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખે છે જ્યારે નબળા સેન્ટિમેન્ટને કારણે ગ્રાહક વિશ્વાસમાં ઘટાડો થયો છે, એમ રિઝર્વ બેંકના નવેમ્બરમાં થયેલા ભવિષ્યલક્ષી સર્વેક્ષણો દર્શાવે છે. ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓના સર્વેક્ષણ દર્શાવે છે કે ઉત્તરદાતાઓનો થોડો મોટો હિસ્સો સપ્ટેમ્બર ૨૦૨૪ના રાઉન્ડની તુલનામાં ભાવ અને ફુગાવામાં વધારો થવાની અપેક્ષા રાખે છે.