Jetpur,તા.18
કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.
શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા શાંતુભાઈ કહોર અને તેમનો ભત્રીજા દિવ્યરાજે બંનેએ એકસંપ કરી ત્રણ વર્ષ પૂર્વે 14માર્ચ 2022ના રોજ પત્ની પ્રસન્નાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખ્યાંની સીટી પોલીસ સ્ટેશનમાં શાંતુભાઈની પુત્રી પાયલબેને સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં પાયલબેને જણાવેલ કે તેમના મમ્મી પપ્પાના ત્રણેક મહિના પૂર્વે છૂટાછેડા થયેલ હતાં. જેમાં માતા સાથે પાયલબેન તેમજ દિવ્યરાજ રહેતા હતા અને પિતા શાંતુભાઈ બાજુમાં જ ભાડે મકાન રાખીને રહેતા હતાં.
જેમાં 124 માર્ચ 2022ના રોજ પિતા અને કાકાનો દીકરો દિવ્યરાજ બંને ઘરમાં ઘુસી અને પ્રસન્નાબેનની ચાલચાલગત બરોબર નથી તેમ કહી તેણીના ગળા તેમજ છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી નાશી ગયા હતાં. આ ફરીયાદનો કેસ એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી સરકારી વકીલ કેતન પંડ્યાની ધારદાર દલીલ, ફોરેન્સીક પુરાવા તેમજ સાહેદોની ગવાહીના પુરાવાના આધારે એડિશનલ સેસન્સ જજ એલ.જી. ચુડાસમાએ આરોપી પતિ શાંતુભાઈને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજા દિવ્યરાજને શંકાનો લાભ આપી છોડી મુક્યો હતો.