Lucknow,તા.20
વિપક્ષો એનજીટીનો રિપોર્ટ આગળ ધરીને મહાકુંભમાં સંગમનું પાણી નહાવા લાયક ન હોવાના આક્ષેપોના જવાબમાં મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે સંગમનું જલ નહાવા યોગ્ય છે. યોગીએ આક્ષેપ લગાવ્યો હતો કે વિપક્ષો કુંભના જળમાં માનવ પળની અફવા ફેલાવી રહ્યા છે.
મુખ્યમંત્રી યોગીએ વિપક્ષોને નિશાન બનાવતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં મહાકુંભમાં 56 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. યોગીએ જણાવ્યું હતું કે સંગમનું જળ સાફ છે અને ડૂબકી લગાવવાને યોગ્ય છે.
વિપક્ષના લોકો તેમાં માનવ મળ હોવાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે આ કોઈ ખાસ પાર્ટી અને સરકારનું આયોજન નથી, બલકે સમાજનું આયોજન છે. સરકાર સેવક તરીકે જવાબદારી નિભાવે છે.