તપાસ દરમિયાન તેની વિરુદ્ધ પુરાવા મળે તો આવી વ્યક્તિએ ટ્રાયલનો સામનો કરવો પડેઃ Supreme Court
New Delhi, તા.૮
Supreme Courtએ એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું હતું કે, આરોપી તરીકે આરોપનામામાં નામ ન હોય તેવી કોઇ વ્યક્તિ સમન્સ પહેલા ટ્રાયલ કોર્ટમાં સુનાવણી માટે હકદાર નથી. આવી વ્યક્તિને ક્રિમિનલ ટ્રાયલનો સામનો કરવા સમન્સની બજવણી કરવી જરૂરી છે. જોકે ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ કારણોસર ટ્રાયલ કોર્ટે આવી અરજી ફગાવી દીધા પછી હાઇકોર્ટ ફોજદારી કેસમાં આરોપી તરીકે વ્યક્તિને સમન્સ મોકલવાના મુદ્દા પર વિચાર કરે છે, તો આરોપીને સુનાવણીનો અધિકાર મળે છે. ખંડપીઠ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૧૯ પરના કાનૂની સવાલ પર સુનાવણી કરી રહી હતી. આ કલમ મુજબ જો તપાસ અથવા ટ્રાયલ દરમિયાન એવું બહાર આવે કે જે વ્યક્તિનું નામ આરોપી તરીકે નથી પરંતુ તેણે ગુનો કર્યો છે, તો કોર્ટ ગુના માટે દોષિત જણાતી અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકે છે. આ મામલો ૨૦૦૯ના એક હત્યા કેસ સંબંધિત છે, જેમાં ચાર્જશીટમાં આરોપી ન હતા તેવા બે વ્યક્તિને ટ્રાયલ કોર્ટ અને અલ્હાબાદ હાઇકોર્ટમાં સંખ્યાબંધ લિટિગેશન પછી ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ કરાયા હતાં. Supreme Courtએ હત્યા કેસમાં આરોપી તરીકે જમીન અને અકીલને સમન્સ મોકલવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ૨૦૦૯માં યુપીના હરદોઈમાં ઇર્શાદ, ઇરફાન, અબ્દુલ, જમીન અને અકીલ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. પોલીસે ઇર્શાદ અને ઇરફાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે અબ્દુલ, જમીન અને અકીલ વિરુદ્ધ તપાસ ચાલુ રાખી, જેમને ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યું ન હતું. આ પછી બાકીના ત્રણ આરોપીને સમન્સ કરવાની ફરિયાદ પક્ષે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવાઈ હતી.