Rajkot તા.૧૫
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.૨૦મી માર્ચ ગુરૂવારે દિવસ અને રાત સરખા જોવા મળશે. તા.૨૧મી શુક્રવારથી દિવસ લંબાતો જાય છે અને તા.૨૧ મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. ખગોળીય ઘટનાનો અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે.
વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે ૨૧ મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા.૨૧મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખાય છે. તા.૨૧મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃતને છેદવાની પ્રક્રિયા શરૂ થતા તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનુ પ્રમાણ વધતુ જાય છે. વિષુવવૃત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહે છે.
વસંત સંપાત દિવસ પછી ગરમી શરૂ થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉત્તર તરફનુ માથું સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલુ જોવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યની સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જ્યારે ૨૧મી જૂન પછી સૂર્ય પુનઃ દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણયાન કહે છે.