Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બંધારણમાં SC ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી, કેન્દ્ર સરકાર
    રાષ્ટ્રીય

    બંધારણમાં SC ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી, કેન્દ્ર સરકાર

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ

    New Delhi,તા.૧૦

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ. બેઠકમાં સ્પષ્ટ કરાયું કે ડો. બી આર આંબેડકર દ્વારા તૈયાર બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ માટે અનામત પદ્ધતિમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. આવામાં આંબેડકરના બંધારણ મુજબ જ અનામતની જોગવાઈ હોવી જોઈએ.

    કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ચર્ચા થઈ. કેબિનેટનો મત એવો હતો કે એનડીએ સરકાર આંબેડકરે  બનાવેલા બંધારણને લઈને પ્રતિબદ્ધ છે અને એસસી એસટીમાં કોઈ ક્રીમી લેયરની જોગવાઈ નથી. મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એસસી-એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શરૂ થયેલી ચર્ચા વિશે વાત કરી.

    અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અનામત સંબંધિત નિર્ણય જણાવ્યો હતો અને એસસી-એસટી અનામત મુદ્દે સૂચન આપ્યું હતું. મંત્રીમંડળમાં તેના પર વિસ્તૃત ચર્ચા થઈ. એનડીએ સરકાર બીઆર આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. બીઆર આંબેડકરના બંધારણ મુજબ એસસી એસટી અનાતમમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી.  તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બંધારણીય દિશાનિર્દેશો મુજબ લાગૂ થવું જોઈએ. એવું પૂછવામાં આવ્યું કે શું આ મુદ્દો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કે પ્રધાનમંત્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તો વૈષ્ણવે કહ્યું કે આ મંત્રીમંડળનો સુવિચારિત વિચાર છે.

    આ અગાઉ શુક્રવારે એસસી અને એસટી સાંસદોના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી અને એસસી/એસટી અનામત મુદ્દે તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ચર્ચા કરી. બેઠક બાદ પીએમ મોદીએ એક્સ પર કહ્યું કે આજે એસસી/એસટી સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. એસસી/એસટી સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પને દોહરાવ્યા.

    પ્રધાનમંત્રીને મળનારા પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના રાજ્યસભા સાંસદ સિકંદરકુમારે કહ્યું કે અમે બધા સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ચિંતિત છીએ. અમને  આ મામલે ચિંતા જતાવનારા લોકોના ફોન આવે છે. એસસી અને એસટીનું પ્રતિનિધિત્વ કરનારા સાંસદોના એક પ્રતિનિધિમંડળે પીએમ સાથે મુલાકાત કરી અને આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી.

    કુમારે કહ્યું હતું કે પીએમએ સાંસદો સાથે ગંભીર ચર્ચા કરી અને આશ્વાસન આપ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને લાગૂ થવા નહીં દે. તેમણે કહ્યું કે અમે આ માટે પીએમ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપ સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તેએ કહ્યું કે પ્રતિનિધિમંડળે પીએમને આપેલા આવેદનમાં આગ્રહ કર્યો છે કે ક્રીમી લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી લાગૂ ન કરવી જોઈએ. તેમણે પીટીઆઈને કહ્યું કે, પીએમના પણ આવા જ વિચાર હતા. તેમણે અમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલાને જોશે અને અમને ચિંતા ન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે તેને એસસી અને એસટી કેટેગરીમાં લાગૂ નહીં કરાય.

    આ મહિનાની શરૂઆતમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે ગત અઠવાડિયે ૬ઃ૧ બહુમતથી ચુકાદો આપ્યો જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના કોટામાં કોટા આપવાને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી/એસટી કેટેગરીની અંદર નવી સબ કેટેગરી બનાવી શકાય છે અને તે હેઠળ અતિ પછાત વર્ગને અલગથી અનામત આપી શકાય છે.

    દેશમાં હાલ એસસી ને ૧૫ ટકા અને એસટીને ૭.૫ ટકા અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એસસી અને એસટીની જાતિઓના આ ૨૨.૫ ટકામાં જ રાજ્ય સરકારો એસસી અને એસટીના નબળા વર્ગોને અલગથી કોટા નક્કી કરી શકે. સુપ્રીમ કોર્ટે કોટામાં કોટાની મંજૂરી રાજ્ય સરકારોને આપતા ક હ્યું હતું કે રાજ્યો પોતાની મરજી  અને રાજકીય મહત્વકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકે નહીં. જો આમ થાય તો તેમના ચુકાદાની ન્યાયિક સમીક્ષા થઈ શકે. જો કોઈ રાજ્ય કોઈ જાતિને કોટાની અંદર કોટા આપે તો તેણે સાબિત કરવું પડશે કે આવું પછાતપણાના આધારે કરાયું છે. એ પણ જોવાશે કે કોઈ એસસી-એસટીના કુલ અનાતમના તેના કોઈ એક વર્ગને જ ૧૦૦ ટકા ન આપવામાં આવે.

     

    Central Govt Constitution creamy layer SC ST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    રાષ્ટ્રીય

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.