ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન (નં. ૦૯૨૧૫) જે સવારે ૧૦.૩૫ વાગ્યે ભાવનગર પરા રેલવે સ્ટેશન પહોંચે છે અને એક મિનિટના હોલ્ટ પછી ૧૦.૩૬ વાગ્યે પ્રસ્થાન કરવાનો સમય છે. ટર્મિનસ પહોંચવા માટે માત્ર બે કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. આમ છતાં, ટ્રેનનો પહોંચવાનો સમય છે, ૧૧.૨૫નો. આમ, આ ટ્રેનને ભાવનગર ટર્મિનસ પહોંચતા ૫૦ મિનિટનો સમય લાગી જાય છે ! એ જ રીતે ઓખા-ભાવનગર ટ્રેન જે સિહોર જંકશનથી વહેલી સવારે ૪.૦૪ વાગ્યે પ્રસ્થાન કરી સવારે ૪.૨૦ વાગ્યે ભાવનગર પરા પહોંચે છે. જ્યાં ૧૫ મિનિટનો હોલ્ટ છે અને સવારે ૪.૩૫ મિનિટે ભાવનગર પરાથી પ્રસ્થાનનો સમય છે પણ ભાવનગર ટર્મિનસ પહોંચવાનો સમય છે, સવારે ૫.૩૦ વાગ્યાનો ! જ્યારે વેરાવળ-ભાવનગર ટ્રેન રાત્રે ૮.૫૨ વાગ્યે સિહોર જંકશનથી પ્રસ્થાન કરી રાત્રે ૯.૧૭ વાગ્યે ભાવનગર પરા સ્ટેશન પહોંચી જાય છે. આ ટ્રેનનો ૧ મિનિટના હોલ્ટ બાદ રાત્રે ૯.૧૮ વાગ્યે પ્રસ્થાન કરવાનો સમય છે પરંતુ તે ભાવનગર ટર્મિનસ પર રાત્રે ૧૦.૦૫ વાગ્યે પહોંચે છે. એટલે કે, પૂરી ૧૭ મિનિટ બાદ ! તો બાન્દ્રા-ભાવનગર ટ્રેન સવારે ૭.૩૦ વાગ્યે ભાવનગર પરા સ્ટેશન પહોંચે છે અને ટર્મનિસ પહોંચવાનો સમય સવારે ૮.૦૫ વાગ્યાનો !
Trending
- India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
- 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
- Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
- દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
- IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
- મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
- Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
- Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી