રાજકોટ તાલુકાના ખરેડી ગામે 23 વર્ષ પહેલા વડીલો પાર્જીત જમીનના મામલે ચાલતા ઝઘડામાં ખેડૂત ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ ભાઈઓને તકસીરવાન ઠેરવી કલમ 325 હેઠળ બે વર્ષની સજા નો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા ખેરડી ગામે રહેતા બાબુભાઈ મોહનભાઈ મોલીયાને પાઇપ વડે કાનજી બચુ મોલીયા, અશોક બચુ મોલીયા અને શંભુ બચુ મોલીયાએ માર માર્યાની તાલુકા પોલીસ મથકમાં તારીખ 18 2 2002 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી અને ફરિયાદીઓ પિતરાઈ ભાઈઓ થાય છે અને દાદીમાની જમીન બાબતે ચાલતા ઝઘડાના કારણે માર માર્યાનો પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું પોલીસે ત્રણેય ભાઈઓ સામે કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું.બાદ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા તપાસવામાં આવેલા પંચો ,ફરિયાદી ,સાહેદો અને તપાસનીશને તપાસવામાં આવેલા તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બાદ સરકારી વકીલ ડી.કે.શ્રીમાળી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ છઠ્ઠા જ્યુ. મેજિસ્ટ્રેટ દામિનીબેન દીક્ષિતએ કાનજી મોલીયા, અશોક મોલિયા અને શંભુ મોલીયા ને તકસીરવાન ઠેરવી કલમ 325 હેઠળ બે વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
Trending
- Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
- Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
- Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
- CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
- બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
- Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
- રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
- 19 સપ્ટેમ્બર નું પંચાંગ