Banaskantha,
ગુજરાતમાં શનિવારે (ત્રીજી મે) વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. (ISR) ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રિસર્ચે જાણકારી આપતા જણાવ્યું કે, વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આંચકો તેજ ન હતો. તેથી કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નથી.