Bhavnagar,તા.06
જિલ્લાના વિભિન્ન તાલુકામાં ફરજ બજાવતા ત્રણ ડઝન તલાટી-કમ-મંત્રીની ફેરબદલી કરવામાં આવી છે. જેમાં ૧૨ તલાટી મંત્રી એવા છે જેમની બદલી માંગણી મુજબ કરવામાં આવી છે.
આ અંગેની જિલ્લા પંચાયતના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી) સંવર્ગના ૩૬ કર્મચારીઓની વિવિધ તાલુકામાં બદલીના ઓર્ડર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયા છે. જેમાં ૧૨ એટલે કે ૩૩ ટકા તલાટી મંત્રીની સ્વ-વિનંતીથી બદલી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પખવાડિયા અગાઉ જ ૩૫ તલાટી-કમ-મંત્રીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આમ, ટૂંકા ગાળામાં વધુ એક વખત ફેરબદલીના ઓર્ડર સાથે ૭૧ તલાટી-કમ-મંત્રીની બદલીનો ગંજીપો ચીપાયો છે.